Wednesday, March 11, 2026

અમદાવાદ પ્લેન ક્રેશ: ઈન્ટર્ન ડોક્ટર હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા, જુઓ વીડિયો

spot_img
Share

અમદાવાદ : એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશનો વધુ એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બી. જે. મેડિકલના વિદ્યાર્થીઓ (ઈન્ટર્ન ડોક્ટર) પોતાનો જીવ બચાવવા માટે હોસ્ટેલના બીજા માળેથી નીચે કૂદી રહ્યા છે. 12 જૂને અમદાવાદ એરપોર્ટ નજીક એક ફ્લાઇટ ક્રેશ થઈ હતી, જેમાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ ફ્લાઈટ મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર પડ્યું હતું.

નવા વીડિયો આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે નજીકના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વિમાન દુર્ઘટના પછી ચાદર બાંધીને બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા હતા. પોતાનો જીવ બચાવતા વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે MBBSના વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા માળેથી કપડું બાંધીને નીચે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ચાદરની મદદથી કૂદકા મારતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

આ વીડિયોમાં, વિદ્યાર્થીઓ એકબીજાને ઇમારત પરથી કૂદવામાં મદદ કરી રહ્યા છે. તેઓ કપડાંની મદદથી ઇમારત પરથી કૂદી રહ્યા છે. દરમિયાન, નજીકમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા પછી ચારેબાજુ ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળતું હતું.

વીડિયોમાં અકસ્માત સમયે કેટલાક લોકો ઝાડ પર ચડતા જોવા મળે છે. તેઓ ત્યાંથી વિમાનને સળગતું જોઈ રહ્યા છે. વિમાન દુર્ઘટના અંગે ખૂબ હોબાળો મચી રહ્યો છે. અસ્પાકનો આખો વિસ્તાર કાળા ધુમાડામાં લપેટાઈ ગયો હતો. અકસ્માતની પ્રથમ થોડીક સેકન્ડોમાં કોઈ પણ પ્રત્યક્ષદર્શી સમજી શક્યું નહીં કે બરાબર શું થયું?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...