Friday, January 23, 2026

અમદાવાદ પ્લેન ક્રેશ: ઈન્ટર્ન ડોક્ટર હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા, જુઓ વીડિયો

spot_img
Share

અમદાવાદ : એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશનો વધુ એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બી. જે. મેડિકલના વિદ્યાર્થીઓ (ઈન્ટર્ન ડોક્ટર) પોતાનો જીવ બચાવવા માટે હોસ્ટેલના બીજા માળેથી નીચે કૂદી રહ્યા છે. 12 જૂને અમદાવાદ એરપોર્ટ નજીક એક ફ્લાઇટ ક્રેશ થઈ હતી, જેમાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ ફ્લાઈટ મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર પડ્યું હતું.

નવા વીડિયો આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે નજીકના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વિમાન દુર્ઘટના પછી ચાદર બાંધીને બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા હતા. પોતાનો જીવ બચાવતા વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે MBBSના વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા માળેથી કપડું બાંધીને નીચે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ચાદરની મદદથી કૂદકા મારતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

આ વીડિયોમાં, વિદ્યાર્થીઓ એકબીજાને ઇમારત પરથી કૂદવામાં મદદ કરી રહ્યા છે. તેઓ કપડાંની મદદથી ઇમારત પરથી કૂદી રહ્યા છે. દરમિયાન, નજીકમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા પછી ચારેબાજુ ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળતું હતું.

વીડિયોમાં અકસ્માત સમયે કેટલાક લોકો ઝાડ પર ચડતા જોવા મળે છે. તેઓ ત્યાંથી વિમાનને સળગતું જોઈ રહ્યા છે. વિમાન દુર્ઘટના અંગે ખૂબ હોબાળો મચી રહ્યો છે. અસ્પાકનો આખો વિસ્તાર કાળા ધુમાડામાં લપેટાઈ ગયો હતો. અકસ્માતની પ્રથમ થોડીક સેકન્ડોમાં કોઈ પણ પ્રત્યક્ષદર્શી સમજી શક્યું નહીં કે બરાબર શું થયું?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...