અમદાવાદ : વિદ્યાર્થીના જીવનઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. એક શિક્ષકે આપેલું જ્ઞાન અને સંસ્કાર કોઈ પણ વ્યક્તિના જીવનના અંત સુધી ચિરંજીવ પ્રભાવ જારી રાખે છે.નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર 2024-2025 માટે વિવિધ અલગ અલગ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાઈ ગયો.કાર્યક્રમની અધ્યક્ષતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલ અને આચાર્યશ્રી દીપકભાઈ પટેલે કરી અને મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના નિયામક કુસુમબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર 2024-2025 માટે વિવિધ અલગ અલગ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને “બેસ્ટ નોટ કીપર” (શ્રેષ્ઠ નોંધ રાખનાર ), “બેસ્ટ એકેડેમિક”(શ્રેષ્ઠ શૈક્ષણિક શોધ), “સ્વચ્છાગ્રહી”, “સત્યપ્રિય”, “દૃઢ મનોબળ ધરાવનાર ”, “બેસ્ટ ક્રિએટર( શ્રેષ્ઠ સર્જક )”, “સદૈવ નિયમિત” જેવી શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શિક્ષકોને “SMART AND HIGH IMPACT ACTIVE PERSON AWARD”, “BEST CREATOR કર્મયોગી પુરસ્કાર”, “BEST DIGITAL CREATOR AWARD” અને “BEST TEACHER AWARD” જેવી કેટેગરીઝમાં સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી ભગવાનની એક અનોખી રચના છે અને તેમાં કંઈક વિશેષ હોય છે જે તેને ખાસ બનાવે છે. એ જ રીતે એક ઉત્તમ શાળાએ વિવિધ ક્ષેત્રે કુશળ કર્મચારીઓની શ્રેષ્ઠ ટીમ હોય છે. આ ટીમને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ દ્વારા દરેક શિક્ષકની અંદર છૂપાયેલી કાર્યક્ષમતાને માન આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા, જેના પરિણામે આખું શાળાપ્રેમી પરિવાર વધુ ઉત્તમ કાર્ય માટે પ્રેરિત થયો.
આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે એક ઉક્તિ છે કે આપણે પ્રશંસા, આશા અને ઉત્સાહથી જીવીએ છીએ, એ પ્રમાણે શાળાની મેનેજમેન્ટનો વિચાર કે “જેના કાર્યની પ્રશંસા કરવામાં આવે તે વ્યક્તિ ચોક્કસપણે વધુ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રેરિત થાય છે”, તે સાચા અર્થમાં યોગ્ય દિશામાં કામગીરી કરશે એવી આશા છે.


