Saturday, January 24, 2026

નવા વાડજની આ શાળાની અનોખી પહેલ, શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

spot_img
Share

અમદાવાદ : વિદ્યાર્થીના જીવનઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. એક શિક્ષકે આપેલું જ્ઞાન અને સંસ્કાર કોઈ પણ વ્યક્તિના જીવનના અંત સુધી ચિરંજીવ પ્રભાવ જારી રાખે છે.નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર 2024-2025 માટે વિવિધ અલગ અલગ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાઈ ગયો.કાર્યક્રમની અધ્યક્ષતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલ અને આચાર્યશ્રી દીપકભાઈ પટેલે કરી અને મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના નિયામક કુસુમબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર 2024-2025 માટે વિવિધ અલગ અલગ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને “બેસ્ટ નોટ કીપર” (શ્રેષ્ઠ નોંધ રાખનાર ), “બેસ્ટ એકેડેમિક”(શ્રેષ્ઠ શૈક્ષણિક શોધ), “સ્વચ્છાગ્રહી”, “સત્યપ્રિય”, “દૃઢ મનોબળ ધરાવનાર ”, “બેસ્ટ ક્રિએટર( શ્રેષ્ઠ સર્જક )”, “સદૈવ નિયમિત” જેવી શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શિક્ષકોને “SMART AND HIGH IMPACT ACTIVE PERSON AWARD”, “BEST CREATOR કર્મયોગી પુરસ્કાર”, “BEST DIGITAL CREATOR AWARD” અને “BEST TEACHER AWARD” જેવી કેટેગરીઝમાં સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી ભગવાનની એક અનોખી રચના છે અને તેમાં કંઈક વિશેષ હોય છે જે તેને ખાસ બનાવે છે. એ જ રીતે એક ઉત્તમ શાળાએ વિવિધ ક્ષેત્રે કુશળ કર્મચારીઓની શ્રેષ્ઠ ટીમ હોય છે. આ ટીમને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ દ્વારા દરેક શિક્ષકની અંદર છૂપાયેલી કાર્યક્ષમતાને માન આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા, જેના પરિણામે આખું શાળાપ્રેમી પરિવાર વધુ ઉત્તમ કાર્ય માટે પ્રેરિત થયો.

આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે એક ઉક્તિ છે કે આપણે પ્રશંસા, આશા અને ઉત્સાહથી જીવીએ છીએ, એ પ્રમાણે શાળાની મેનેજમેન્ટનો વિચાર કે “જેના કાર્યની પ્રશંસા કરવામાં આવે તે વ્યક્તિ ચોક્કસપણે વધુ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રેરિત થાય છે”, તે સાચા અર્થમાં યોગ્ય દિશામાં કામગીરી કરશે એવી આશા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...