અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. આ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઇ કરવામાં આવ્યા છે. જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે. ત્યારબાદ સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તેને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ આસપાસ સર્વે હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેકટરએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે. જ્યારે પ્રાથમિક સર્વે સિવિલ એવીએશન અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે.
સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેકટરે આ મુદ્દે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે.


