Wednesday, March 4, 2026

અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરી યોગ દિવસની ઉજવણી, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : આજે (21 જૂન) વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા હતા. આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે.ગુજરાત રાજ્યમાં પણ આ દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ ભવ્ય રીતે કરવામાં આવી છે. રાજ્ય સરકારે વડનગર ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે અમિત શાહની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મિશન ફોર મિલિયન ટ્રી (FMT) અંતર્ગત આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે. અહીં મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત AMC દ્વારા વિનામૂલ્ય રોપા આપવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ તેમજ ભાજપના અન્ય અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.

આ વર્ષની યોગ દિવસની થીમ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” રાખવામાં આવી હતી. આ થીમ હેઠળ મેદસ્વિતા મુક્ત અભિયાનના પોસ્ટરો રાજ્યભરમાં જોવા મળ્યા હતા. યોગ, ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારીની પરંપરા તરીકે ઓળખાય છે. 2014માં યુનાઇટેડ નેશન્સના 177 દેશોના સમર્થનથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને 2015થી વિશ્વભરમાં આ દિવસ ઉજવાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશાખાપટ્ટનમથી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી હતી. તેમણે સામૂહિક યોગ સત્રમાં ભાગ લઈ, દેશવાસીઓને યોગ દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. મોદીએ યોગને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અગત્યનું ગણાવ્યું અને લોકોને તેને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...