Friday, January 23, 2026

અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરી યોગ દિવસની ઉજવણી, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : આજે (21 જૂન) વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા હતા. આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે.ગુજરાત રાજ્યમાં પણ આ દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ ભવ્ય રીતે કરવામાં આવી છે. રાજ્ય સરકારે વડનગર ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે અમિત શાહની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મિશન ફોર મિલિયન ટ્રી (FMT) અંતર્ગત આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે. અહીં મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત AMC દ્વારા વિનામૂલ્ય રોપા આપવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ તેમજ ભાજપના અન્ય અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.

આ વર્ષની યોગ દિવસની થીમ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” રાખવામાં આવી હતી. આ થીમ હેઠળ મેદસ્વિતા મુક્ત અભિયાનના પોસ્ટરો રાજ્યભરમાં જોવા મળ્યા હતા. યોગ, ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારીની પરંપરા તરીકે ઓળખાય છે. 2014માં યુનાઇટેડ નેશન્સના 177 દેશોના સમર્થનથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને 2015થી વિશ્વભરમાં આ દિવસ ઉજવાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશાખાપટ્ટનમથી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી હતી. તેમણે સામૂહિક યોગ સત્રમાં ભાગ લઈ, દેશવાસીઓને યોગ દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. મોદીએ યોગને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અગત્યનું ગણાવ્યું અને લોકોને તેને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...