અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રહેશે. કોઈ પણ પ્રકારની ભાગદોડ ના થાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરાશે અને તમામ ડ્રોનમાં GPS લગાડવામાં આવ્યા છે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપીયોગ કરાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં અષાઢી બીજે જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળનારી ભવ્ય અને દિવ્ય રથયાત્રાની તૈયારીના ભાગરુપે ક્રાઈમ બ્રાંચ, વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં રથયાત્રામાં નાસભાગ અથવા કાંકરીચાળો અને કે કોઈ બીજી અપ્રિય ઘટના ન બને તે માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ ડ્રોનમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવશે. જેથી ઉંચાઈએ ઉડતા ડ્રોનને સ્થળ, ભીડ અને સલામતી અંગેની જાણકારી મળી રહે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા ત્રણ દિવસમાં ઘણાબધા હથિયારોના કેસો શોધ્યા છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેથી આ રથયાત્રામાં પણ 101 ટ્રક ભાગ લેશે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ગઈકાલે જગન્નાથ મંદિરમાં થયેલી મિટિંગમાં લાઇવ ફૂટેજ જોવામાં આવ્યા હતા. જેથી ભીડનો ખ્યાલ ડ્રોનની હાઇટ સાથે ખ્યાલ આવતો હોય છે. તેનાથી કોઈ ઈસ્યૂ થશે તો તેને ઉકેલવામાં મદદ થશે.
આ વર્ષે યોજાનારી રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તમામ ડ્રોનમાં gps લગાડવામાં આવ્યા છે. જેથી કરીને કેટલી ઉંચાઈએ તેમજ કેટલા અંતરમાં રહેવું તે અંગે પ્રિમાઇસીસમાં રહેવું તે નક્કી કરાઈ છે.