Wednesday, March 4, 2026

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાયું નવું નજરાણું : 4500 સ્કવેર મીટરમાં 3 કરોડના ખર્ચે ‘નાઈટ ફ્લાવર પાર્ક’

spot_img
Share

અમદાવાદ : ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી લાંબું નહીં થવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 4500 સ્કવેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નું આજે (19 જુલાઈ, 2025) મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્લો ગાર્ડનમાં મુકાયેલાં વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે. રાત પડતાં જ આ ગાર્ડન ઝળહળી ઊઠશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક ખાતે નાઈટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે.આજે (19 જુલાઈ, 2025) મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર સાથે LED લાઈટથી આ ફ્લાવર પાર્ક સુશોભિત કરવામાં આવ્યો છે. હવે શહેરીજનોને નાઈટ ફ્લાવર પાર્ક એટલે કે ગ્લો ગાર્ડન જોવો હોય તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવો નહીં પડે.

રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડનનો ફ્લાવર પાર્કમાં જ સમાવેશ કરવામાં આવેલ હોવાથી ફક્ત રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન કે ફકત ફ્લાવર પાર્કની અલગથી ટિકિટ મળશે નહી. વિકલાંગ વ્યક્તિઓ તેમજ 3 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ મળશે.નાઈટ ફ્લાવર પાર્કની ટિકિટ રાત્રે 10 વાગ્યા સુધી જ ઇસ્યુ કરવામાં આવશે. ટિકિટના દર નીચે મુજબ રહેશે.

ટિકિટના દરની વાત કરીએ તો, ફ્લાવર પાર્ક અને નાઈટ ફ્લાવર પાર્ક માટે પુખ્ત ઉંમરના રૂ.80, સિનિયર સિટીઝનના રૂ.60, 3 થી 12 વર્ષના બાળકો માટે રૂ.60 અને એજ્યુકેશનલ માટે રૂ.20 નક્કી કરાયા છે. જો અટલ બ્રિજ સાથે ફ્લાવર પાર્ક અને નાઈટ ફ્લાવર પાર્ક માટે પુખ્ત ઉંમરના રૂ.110, સિનિયર સિટીઝનના રૂ.80, 3 થી 12 વર્ષના બાળકો માટે રૂ.80 નક્કી કરાયા છે.

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર AMCના તમામ ઝોનના સફાઈકર્મીઓ અને અધિકારીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...