Tuesday, January 13, 2026

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાયું નવું નજરાણું : 4500 સ્કવેર મીટરમાં 3 કરોડના ખર્ચે ‘નાઈટ ફ્લાવર પાર્ક’

spot_img
Share

અમદાવાદ : ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી લાંબું નહીં થવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 4500 સ્કવેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નું આજે (19 જુલાઈ, 2025) મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્લો ગાર્ડનમાં મુકાયેલાં વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે. રાત પડતાં જ આ ગાર્ડન ઝળહળી ઊઠશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક ખાતે નાઈટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે.આજે (19 જુલાઈ, 2025) મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર સાથે LED લાઈટથી આ ફ્લાવર પાર્ક સુશોભિત કરવામાં આવ્યો છે. હવે શહેરીજનોને નાઈટ ફ્લાવર પાર્ક એટલે કે ગ્લો ગાર્ડન જોવો હોય તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવો નહીં પડે.

રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડનનો ફ્લાવર પાર્કમાં જ સમાવેશ કરવામાં આવેલ હોવાથી ફક્ત રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન કે ફકત ફ્લાવર પાર્કની અલગથી ટિકિટ મળશે નહી. વિકલાંગ વ્યક્તિઓ તેમજ 3 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ મળશે.નાઈટ ફ્લાવર પાર્કની ટિકિટ રાત્રે 10 વાગ્યા સુધી જ ઇસ્યુ કરવામાં આવશે. ટિકિટના દર નીચે મુજબ રહેશે.

ટિકિટના દરની વાત કરીએ તો, ફ્લાવર પાર્ક અને નાઈટ ફ્લાવર પાર્ક માટે પુખ્ત ઉંમરના રૂ.80, સિનિયર સિટીઝનના રૂ.60, 3 થી 12 વર્ષના બાળકો માટે રૂ.60 અને એજ્યુકેશનલ માટે રૂ.20 નક્કી કરાયા છે. જો અટલ બ્રિજ સાથે ફ્લાવર પાર્ક અને નાઈટ ફ્લાવર પાર્ક માટે પુખ્ત ઉંમરના રૂ.110, સિનિયર સિટીઝનના રૂ.80, 3 થી 12 વર્ષના બાળકો માટે રૂ.80 નક્કી કરાયા છે.

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર AMCના તમામ ઝોનના સફાઈકર્મીઓ અને અધિકારીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....