Thursday, March 5, 2026

SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફનો રોડ 6 મહિના માટે બંધ રહેશે, આ કારણોથી લેવાયો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : એસજી હાઇવે પર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોરના કામકાજને લઇને એસ.જી હાઇવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ જતો 100 મીટરનો રોડ આગામી છ માસ માટે બંધ રહેશે. આ નિર્ણય નેશનલ હાઇવે ડિવિઝન (અમદાવાદ) દ્વારા લેવામાં આવ્યો છે. આ જગ્યાએ બ્રિજના પિલ્લરો તૈયાર થઇ ગયા છે, અને હવે તેના પર ગર્ડર લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. જે આગામી છ માસ સુધી ચાલશે. વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામાં મુજબ, શહેરના એસ.જી.હાઈવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાય.એમ.સી.એ. ક્લબ તરફ જતો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ 6 માસ સુધી બંધ રહેશે.આ રસ્તો બંધ થતા સાણંદ, સરખેજ તરફથી આવતા નાના -મોટા વાહનનો ટ્રાફિક YMCA ક્લબ તરફથી ડાબી બાજુ વળીને ભગવાન સર્કલથી જમણી બાજુ વળશે ત્યાંથી ઝવેરી સર્કલ થઇ જમણી બાજુ વળી કર્ણાવતી ક્લબથી એસજી હાઇવે પર અલગ-અલગ માર્ગો પર જઇ શકાશે.

વૈકલ્પિક માર્ગ
ગાંધીનગરથી સરખેજ તરફ જતા ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ઝુંડાલ ચોકડીથી જમણી બાજુ વૈષ્ણવદેવી બ્રિજ થઈ ને સરખેજ જવું.

સરખેજથી ગાંધીનગર તરફ આવતા વૈષ્ણવદેવી બ્રિજ થી ડાબી બાજુ જઈને ઝુંડાલ ચોકડીથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ને ઉવારસદ બ્રિજ નીચે થી જમણી બાજુ થી ગાંધીનગર તરફ આવવાનું રહેશે.

ગાંધીનગરથી સરખેજ તરફ જતા ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ઝુંડાલ ચોકડીથી જમણી બાજુ વૈષ્ણવદેવી બ્રિજ થઈને સરખેજ જવું.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...