Wednesday, March 4, 2026

અમદાવાદમાં મેઘરાજાની ધડબડાટી, પૂર્વ-પશ્ચિમ વિસ્તાર પાણીમાં ડૂબ્યો, AMCના દાવા ખોટા પાડ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં શનિવાર રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3.75 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ શહેરના વટવા વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે રામોલ, મણિનગરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં શનિવાર મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં વટવા, જશોદાનગર, મણિનગર, ત્રિકમપૂરા, સીટીએમ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. પૂર્વ વિસ્તારના જશોદાનગર, સીટીએમ, હાટકેશ્વર અને મણિનગર વિસ્તારના હાલ બેહાલની બની ગયા હતા. લોકોના ઘરો, દુકાનો અને હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

માત્ર પૂર્વ જ નહીં પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જોધપુર, શ્યામલ, સેટેલાઈટ, પ્રહલાદનગર, આનંદનગર, નેહરુનગર, વાસણા, પાલડી, આશ્રમરોડ જમાલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદન નગર અને સોનલ સિનેમા રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા શ્રીનગર વિસ્તારમાં દર વર્ષે શ્રી નંદનગર સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનો સુધી પાણી પહોંચી જતું હોય છે. જેના કારણે થઈને પણ લોકોને સામનો કરવો પડયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...