Friday, January 23, 2026

અમદાવાદમાં મેઘરાજાની ધડબડાટી, પૂર્વ-પશ્ચિમ વિસ્તાર પાણીમાં ડૂબ્યો, AMCના દાવા ખોટા પાડ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં શનિવાર રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3.75 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ શહેરના વટવા વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે રામોલ, મણિનગરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં શનિવાર મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં વટવા, જશોદાનગર, મણિનગર, ત્રિકમપૂરા, સીટીએમ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. પૂર્વ વિસ્તારના જશોદાનગર, સીટીએમ, હાટકેશ્વર અને મણિનગર વિસ્તારના હાલ બેહાલની બની ગયા હતા. લોકોના ઘરો, દુકાનો અને હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

માત્ર પૂર્વ જ નહીં પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જોધપુર, શ્યામલ, સેટેલાઈટ, પ્રહલાદનગર, આનંદનગર, નેહરુનગર, વાસણા, પાલડી, આશ્રમરોડ જમાલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદન નગર અને સોનલ સિનેમા રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા શ્રીનગર વિસ્તારમાં દર વર્ષે શ્રી નંદનગર સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનો સુધી પાણી પહોંચી જતું હોય છે. જેના કારણે થઈને પણ લોકોને સામનો કરવો પડયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...