Thursday, March 5, 2026

પોલીસનો માનવીય અભિગમ, જાહેર રસ્તાઓમાં ભિક્ષાવૃત્તિની પ્રવુતિ કરતા 39 બાળકોનું રેસ્ક્યુ કરાયું

spot_img
Share

અમદાવાદ : કુમળીવયના બાળકો સ્કૂલે જવાને બદલે મજબૂરીવશ કે પછી અન્ય કારણોસર ટ્રાફિક સિગ્નલો તેમજ જાહેર માર્ગો પર રખડતા જોવા મળતા હોય છે. જેને લઈને શહેરમાં પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 39 બાળકોને બચાવવામાં આવ્યા હતા. આ અભિયાન સિટી ક્રાઈમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ મહિલા સેલ, એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને વિવિધ ઝોનના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાળ કલ્યાણ એજન્સીના સહયોગથી પુનર્વસન માટેના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે.અમદાવાદ પોલીસે રોડ-રસ્તા, લોકમેળા, મંદિરો અને અન્ય જાહેર સ્થળોએ ભિક્ષા માંગતા અથવા કામ કરતા બાળકોને ઓળખ્યા હતા.આ સ્પેશિયલ ડ્રાઇવ ઇસ્કોન, પકવાન, શાહીબાગ, સી.જી. રોડ અને એસ.જી. હાઇવેના વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાળકોને માતા પિતા જ ભિક્ષાવૃતિ કરાવતા હોવાનું સામે આવ્યું છે.આ કામગીરીનો મુખ્ય હેતુ બાળકોને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રાખવા અને તેમને સલામત વાતાવરણ પૂરૂં પાડી શકાય તેવો પ્રયાસ કરવાનો હતો. આ ડ્રાઈવ અંતર્ગત બાળમજૂરી કરાવનારા અને ભિક્ષા મંગાવનારા લોકો સામે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ સ્પેશિયલ ડ્રાઈવનો ઉદ્દેશ્ય ગુમ થયેલા અને સંવેદનશીલ બાળકોને શોધી કાઢવાનો, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને તેમના પુનર્વસનનો હતો. અમે અમદાવાદમાં દરેક બાળકના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ.રેસ્ક્યુ કરાયેલા બાળકોને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા બાદ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તપાસ પૂર્ણ થયા પછી બાળકોને તેમના વાલીઓના ભરોસે સોંપવામાં આવશે અથવા યોગ્ય તબક્કે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના માર્ગદર્શન હેઠળ પુનર્વસાવવામાં આવશે.

પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી ભવિષ્યમાં પણ યથાવત રહેશે તેવું જણાવાયું છે જેથી કરીને બાળકોનું શોષણ અટકાવી શકાય અને તેમને યોગ્ય જીવન જીવી શકે તેવા સાધનો પ્રાપ્ત થાય.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...