Saturday, January 24, 2026

પોલીસનો માનવીય અભિગમ, જાહેર રસ્તાઓમાં ભિક્ષાવૃત્તિની પ્રવુતિ કરતા 39 બાળકોનું રેસ્ક્યુ કરાયું

spot_img
Share

અમદાવાદ : કુમળીવયના બાળકો સ્કૂલે જવાને બદલે મજબૂરીવશ કે પછી અન્ય કારણોસર ટ્રાફિક સિગ્નલો તેમજ જાહેર માર્ગો પર રખડતા જોવા મળતા હોય છે. જેને લઈને શહેરમાં પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 39 બાળકોને બચાવવામાં આવ્યા હતા. આ અભિયાન સિટી ક્રાઈમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ મહિલા સેલ, એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને વિવિધ ઝોનના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાળ કલ્યાણ એજન્સીના સહયોગથી પુનર્વસન માટેના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે.અમદાવાદ પોલીસે રોડ-રસ્તા, લોકમેળા, મંદિરો અને અન્ય જાહેર સ્થળોએ ભિક્ષા માંગતા અથવા કામ કરતા બાળકોને ઓળખ્યા હતા.આ સ્પેશિયલ ડ્રાઇવ ઇસ્કોન, પકવાન, શાહીબાગ, સી.જી. રોડ અને એસ.જી. હાઇવેના વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાળકોને માતા પિતા જ ભિક્ષાવૃતિ કરાવતા હોવાનું સામે આવ્યું છે.આ કામગીરીનો મુખ્ય હેતુ બાળકોને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રાખવા અને તેમને સલામત વાતાવરણ પૂરૂં પાડી શકાય તેવો પ્રયાસ કરવાનો હતો. આ ડ્રાઈવ અંતર્ગત બાળમજૂરી કરાવનારા અને ભિક્ષા મંગાવનારા લોકો સામે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ સ્પેશિયલ ડ્રાઈવનો ઉદ્દેશ્ય ગુમ થયેલા અને સંવેદનશીલ બાળકોને શોધી કાઢવાનો, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને તેમના પુનર્વસનનો હતો. અમે અમદાવાદમાં દરેક બાળકના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ.રેસ્ક્યુ કરાયેલા બાળકોને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા બાદ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તપાસ પૂર્ણ થયા પછી બાળકોને તેમના વાલીઓના ભરોસે સોંપવામાં આવશે અથવા યોગ્ય તબક્કે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના માર્ગદર્શન હેઠળ પુનર્વસાવવામાં આવશે.

પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી ભવિષ્યમાં પણ યથાવત રહેશે તેવું જણાવાયું છે જેથી કરીને બાળકોનું શોષણ અટકાવી શકાય અને તેમને યોગ્ય જીવન જીવી શકે તેવા સાધનો પ્રાપ્ત થાય.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...