Wednesday, March 11, 2026

AMCની ગાર્બેજ કલેક્શન વાને બેકાબુ બની સર્જ્યો અકસ્માત ! 7થી 8 રિક્ષાઓને લીધી અડફેટે, એકનું મોત

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં આજે વહેલી સવારમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીએ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાના વીડિયો પ્રકાશમાં આવ્યાં છે. જમાલપુર પગથિયા પાસેથી સોના કટ પીસ સુધી ડોર-ટુ-ડોર ચલાવતી એક ગાડીએ અચાનક નિયંત્રણ ગુમાવતાં ભયાનક અકસ્માત થયો હતો. ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીએ રસ્તાની સાઈડમાં ઊભેલી 7થી 8 રિક્ષાઓને અડફેટે લીધી હતી. જો કે, સ્થાનિકોએ ડાલી ચલાવતા ડ્રાઈવરને ફરાર થયા તે પહેલા જ ઝડપી લીધો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે સવારે શહેરના જમાલપુરમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા AMCના ગાર્બેજ કલેક્શન કરતા વાહને 7થી 8 રિક્ષાઓને અડફેટે લીધી હતી. આ ઉપરાંત રસ્તામાં ચાલતા રાહદારીઓને પણ અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે આવતા આ વાહનની અડફેટે 7 થી 8 જેટલા લોકો આવ્યા હતા. આ અકસ્માતમાં કચરાની ગાડીની નીચે વાહનચાલક આધેડ આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં કચરાની ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને રસ્તામાં આવેલા તમામ વાહનોને અડફેટે લીધા હતા. આટલું જ નહીં રાહદારીઓને પણ અડફેટે લીધા હતા.

મળતી વિગતો પ્રમાણે અત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બે અન્ય ઘાયલો સાથે પૂછપરછ કરીને પોલીસે આગળની તપાસ કરશે. જો કે, ડ્રાઈવરની તો ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...