Sunday, January 18, 2026

AMCની ગાર્બેજ કલેક્શન વાને બેકાબુ બની સર્જ્યો અકસ્માત ! 7થી 8 રિક્ષાઓને લીધી અડફેટે, એકનું મોત

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં આજે વહેલી સવારમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીએ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાના વીડિયો પ્રકાશમાં આવ્યાં છે. જમાલપુર પગથિયા પાસેથી સોના કટ પીસ સુધી ડોર-ટુ-ડોર ચલાવતી એક ગાડીએ અચાનક નિયંત્રણ ગુમાવતાં ભયાનક અકસ્માત થયો હતો. ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીએ રસ્તાની સાઈડમાં ઊભેલી 7થી 8 રિક્ષાઓને અડફેટે લીધી હતી. જો કે, સ્થાનિકોએ ડાલી ચલાવતા ડ્રાઈવરને ફરાર થયા તે પહેલા જ ઝડપી લીધો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે સવારે શહેરના જમાલપુરમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા AMCના ગાર્બેજ કલેક્શન કરતા વાહને 7થી 8 રિક્ષાઓને અડફેટે લીધી હતી. આ ઉપરાંત રસ્તામાં ચાલતા રાહદારીઓને પણ અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે આવતા આ વાહનની અડફેટે 7 થી 8 જેટલા લોકો આવ્યા હતા. આ અકસ્માતમાં કચરાની ગાડીની નીચે વાહનચાલક આધેડ આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં કચરાની ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને રસ્તામાં આવેલા તમામ વાહનોને અડફેટે લીધા હતા. આટલું જ નહીં રાહદારીઓને પણ અડફેટે લીધા હતા.

મળતી વિગતો પ્રમાણે અત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બે અન્ય ઘાયલો સાથે પૂછપરછ કરીને પોલીસે આગળની તપાસ કરશે. જો કે, ડ્રાઈવરની તો ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...