Friday, March 13, 2026

વાડજ પોલીસ સ્ટેશને રક્ષાબંધનની ઉજવણી, ભાજપ મહિલા મોરચાની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી

spot_img
Share

અમદાવાદ : શહેરના વાડજ પોલીસ સ્ટેશન ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેકટર સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોને મ્યુ કાઉન્સિલર અને ભાજપ મહિલા મોરચાની બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યા હતા. ભાજપ મહિલા મોરચાની બહેનોએ પોલીસ જવાનોને કુમકુમ તિલક કરી આરતી ઉતારી તેઓને રાખડીઓ બાંધી હતી.

વાડજ પોલીસ સ્ટેશન ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મ્યુ કાઉન્સિલર ભાવનાબેન વાઘેલા અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પટેલની આગેવાનીમાં બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.જી.જોષી સહિત પોલીસ જવાનો અને મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધવામાં આવી હતી. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. તેમણે પોલીસ જવાનોને આશીર્વાદ પણ આપ્યા હતા.જ્યારે પોલીસ જવાનોએ પણ આ બહેનોને સુરક્ષા સાથે સતત સલામતીનું વચન આપ્યું હતું.

વાડજ પોલીસ સ્ટેશનમાં ભાઈબેનના હેતનો પર્વ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. પરિવારોથી દુર રહ્યીને સતત નિષ્ઠાથી પોલીસ વિભાગમા ફરજ બજાવતા પોલીસ જવાનોને તહેવાર પણ ઉજવવા નથી મળતો, ત્યારે આ મહિલા મોરચાની બહેનોએ આ કમી પૂરી કરી હતી.

આ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પર્વ છે. એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ ભારતીય પરંપરા સાથે જોડાયેલું છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે. આ ભાઇ-બહેનને પવિત્ર સ્નેહે બાંધવાનું પર્વ છે. ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...