Thursday, January 15, 2026

વાડજ પોલીસ સ્ટેશને રક્ષાબંધનની ઉજવણી, ભાજપ મહિલા મોરચાની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી

spot_img
Share

અમદાવાદ : શહેરના વાડજ પોલીસ સ્ટેશન ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેકટર સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોને મ્યુ કાઉન્સિલર અને ભાજપ મહિલા મોરચાની બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યા હતા. ભાજપ મહિલા મોરચાની બહેનોએ પોલીસ જવાનોને કુમકુમ તિલક કરી આરતી ઉતારી તેઓને રાખડીઓ બાંધી હતી.

વાડજ પોલીસ સ્ટેશન ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મ્યુ કાઉન્સિલર ભાવનાબેન વાઘેલા અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પટેલની આગેવાનીમાં બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.જી.જોષી સહિત પોલીસ જવાનો અને મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધવામાં આવી હતી. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. તેમણે પોલીસ જવાનોને આશીર્વાદ પણ આપ્યા હતા.જ્યારે પોલીસ જવાનોએ પણ આ બહેનોને સુરક્ષા સાથે સતત સલામતીનું વચન આપ્યું હતું.

વાડજ પોલીસ સ્ટેશનમાં ભાઈબેનના હેતનો પર્વ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. પરિવારોથી દુર રહ્યીને સતત નિષ્ઠાથી પોલીસ વિભાગમા ફરજ બજાવતા પોલીસ જવાનોને તહેવાર પણ ઉજવવા નથી મળતો, ત્યારે આ મહિલા મોરચાની બહેનોએ આ કમી પૂરી કરી હતી.

આ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પર્વ છે. એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ ભારતીય પરંપરા સાથે જોડાયેલું છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે. આ ભાઇ-બહેનને પવિત્ર સ્નેહે બાંધવાનું પર્વ છે. ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...