Wednesday, March 4, 2026

ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ 18 ફૂટ ઊંડી ટાંકીમાં પડતાં 5 વર્ષના બાળકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના દર્શ પટેલ નામના બાળકનું મોત થવાનો બનાવ બન્યો છે. આ ઘટના ગોતાના સેવન બ્લીસ ફ્લેટમાં બની.બાળકનું નામ દર્શીલ હોવાનું સામે આવ્યું છે. ફ્લેટ બનાવનાર બિલ્ડરની બેદરકારીથી માસુમ બાળક મોતને ભેટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં સેવન બ્લિસ સોસાયટી આવેલી છે, જેમાં 5 વર્ષનો નામનો દર્શ પટેલ નામનો બાળક તેમના પરિવાર સાથે રહેતો હતો. સોમવારે સાંજે ફ્લેટના બીજા બધા બાળકો રમતા હતા અને દર્શ પણ સાંજે ટ્યુશનથી આવી અને નીચે રમવા લાગ્યો હતો. એના પિતાએ તેને બે દિવસ પહેલા જ નવી સાયકલ લઈ આપી હતી જેથી સાયકલ લઈને તે નીચે રમતો હતો. તે દરમિયાન ત્યાંથી એક ભાઈ પસાર થયા ત્યારે તેમણે જોયું કે, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી ખુલ્લી હતી જેથી આજુબાજુના બાળકોને પૂછ્યું હતું. બાજુમાં દર્શની સાયકલ પડી હતી.

તેઓએ અંદર ટાંકામાં જોયું તો દર્શ ઢાંકણા સાથે અંદર પડેલો હતો. ફલેટના રહીશોને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. 18 ફૂટ ઊંડી પાણીની ટાંકી કે જેમાં 11 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. બાળકને બહાર કાઢીને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, સોસાયટીમાં જે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવી છે તેમાં ઢાંકણા ફાઇબરના રાખવામાં આવેલા છે. લોખંડના ઢાંકણા રાખવામાં આવ્યા નથી. ટાંકીમાં નીચે ઉતારવા માટે કોઈપણ પ્રકારની અંદર સુવિધા રાખવામાં આવી નથી. સોલા પોલીસે આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

બાળકોને ને લઈને અવરનવર ઘટના બનતી હોય છે તેવામાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ કરૂણ ઘટના અમદાવાદના ગોતા વિસ્તાર ની છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...