Tuesday, January 20, 2026

ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ 18 ફૂટ ઊંડી ટાંકીમાં પડતાં 5 વર્ષના બાળકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના દર્શ પટેલ નામના બાળકનું મોત થવાનો બનાવ બન્યો છે. આ ઘટના ગોતાના સેવન બ્લીસ ફ્લેટમાં બની.બાળકનું નામ દર્શીલ હોવાનું સામે આવ્યું છે. ફ્લેટ બનાવનાર બિલ્ડરની બેદરકારીથી માસુમ બાળક મોતને ભેટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં સેવન બ્લિસ સોસાયટી આવેલી છે, જેમાં 5 વર્ષનો નામનો દર્શ પટેલ નામનો બાળક તેમના પરિવાર સાથે રહેતો હતો. સોમવારે સાંજે ફ્લેટના બીજા બધા બાળકો રમતા હતા અને દર્શ પણ સાંજે ટ્યુશનથી આવી અને નીચે રમવા લાગ્યો હતો. એના પિતાએ તેને બે દિવસ પહેલા જ નવી સાયકલ લઈ આપી હતી જેથી સાયકલ લઈને તે નીચે રમતો હતો. તે દરમિયાન ત્યાંથી એક ભાઈ પસાર થયા ત્યારે તેમણે જોયું કે, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી ખુલ્લી હતી જેથી આજુબાજુના બાળકોને પૂછ્યું હતું. બાજુમાં દર્શની સાયકલ પડી હતી.

તેઓએ અંદર ટાંકામાં જોયું તો દર્શ ઢાંકણા સાથે અંદર પડેલો હતો. ફલેટના રહીશોને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. 18 ફૂટ ઊંડી પાણીની ટાંકી કે જેમાં 11 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. બાળકને બહાર કાઢીને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, સોસાયટીમાં જે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવી છે તેમાં ઢાંકણા ફાઇબરના રાખવામાં આવેલા છે. લોખંડના ઢાંકણા રાખવામાં આવ્યા નથી. ટાંકીમાં નીચે ઉતારવા માટે કોઈપણ પ્રકારની અંદર સુવિધા રાખવામાં આવી નથી. સોલા પોલીસે આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

બાળકોને ને લઈને અવરનવર ઘટના બનતી હોય છે તેવામાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ કરૂણ ઘટના અમદાવાદના ગોતા વિસ્તાર ની છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...