Thursday, March 12, 2026

અમદાવાદ વધુ સુરક્ષિત શહેર બનશે, AMCનો કરોડોના ખર્ચે 2000 નવા CCTV કેમેરા લગાવવાનો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર સતત વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. નવા વિસ્તારોનો વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને વધતી જનસંખ્યા સાથે શહેરમાં સુરક્ષાની જરૂરિયાત પણ વધતી જાય છે. આવા સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધુ 2200 CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનું AMCએ નક્કી કર્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોની કચેરીઓ સહિતની બંધ જગ્યાઓમાં CCTV કેમેરા લગાવવા માટે ઇ-ગવર્નન્સ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ માટે 3 થી 4 કરોડ રૂપિયાના ખર્ચે CCTV કેમેરા લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય હેઠળ 1000ને બદલે 2000 કેમેરા લગાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં વારંવાર નવા ટેન્ડરો બહાર પાડવાની જરૂર ન પડે.

શહેરના વિવિધ સિવિક સેન્ટર, આરોગ્ય કેન્દ્રો, લાઇબ્રેરી, જીમ અને સ્નાનગૃહનો સમાવેશ થાય છે. આ તમામ ઇમારતોમાં CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 2000 CCTV કેમેરા લગાવવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 3 થી 4 કરોડ રૂપિયા હશે. આ કેમેરાઓ દ્વારા તમામ ઇમારતોનું નિરીક્ષણ વધુ અસરકારક રીતે કરી શકાશે.

આ કેમેરાઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પોતાના ઝોનની કચેરીઓ પર નજર રાખી શકશે અને તેમના આઈડી દ્વારા લૉગિન કરીને વિડિયો ઍક્સેસ કરી શકશે. આ ઉપરાંત, કેમેરાઓના જાળવણી માટે ઑન-સાઇટ એન્જિનિયરોની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેઓ કેમેરાઓ સંબંધિત ફરિયાદો અને જાળવણીનું કામ સંભાળશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...