Wednesday, March 4, 2026

જન્માષ્ટમીની અનોખી ઉજવણી : બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા સતત 12 કલાક નોન-સ્ટોપ બંસરી વાદન

spot_img
Share

અમદાવાદ : જન્માષ્ટમીના પાવન પર્વે દરેક કૃષ્ણભક્ત ખુબ ઉત્સાહથી ભગવાનનો જન્મ દિવસની ઉજવણી કરતો હતો ત્યારે નવા વાડજમાં બંસરી મ્યુઝિક સર્કલના 60 સાધકોએ સતત 12 કલાક નોન-સ્ટોપ વાંસળી વાદન કરીને કૃષ્ણભક્તિના મધુર સૂરો છેડી જન્માષ્ટમીના પાવન પર્વેની અનોખી ઉજવણી કરી હતી.બંસરી મ્યુઝિક સર્કલના 60 સાધકોએ બપોરના 12 થી રાત્રિના 12 સુધી સતત 12 કલાક બંસરી વાદન કરીને ઈશ્વરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

જન્માષ્ટમીના પાવન પર્વે દરેક કૃષ્ણભક્ત ખુબ ઉત્સાહથી ભગવાનનો જન્મ દિવસની ઉજવણી કરે છે ત્યારે, સંસારને વાંસળી આપનાર શ્રીકૃષ્ણને રિજવવા માટે નવા વાડજના બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વેની અનોખી ઉજવણી કરી હતી. બંસરી મ્યુઝિક સર્કલ ના મુખ્ય સ્થાપક અને બંસરી શીખવનાર માનવભાઈ જોશીના કહેવા મુજબ અમે અનુષ્ઠાન અનેક વર્ષોથી કરી રહ્યા છીએ.પહેલા હું એકલો જ 12 કલાક સતત વાંસળી વગાડતો પરંતુ હવે શિષ્યો ખૂબ સુંદર વાંસળી વાદન કરી રહ્યા છે અને તેમનો ભાવ પણ હોય છે કે અમે આ પાવન દિવસે ઈશ્વરને બાસુરી વાદનની ભેટ આપીએ.બપોરે 12:00 વાગે બાંસળીનો મધુર અવાજ શરૂ થાય તો રાત્રે 12 સુધી સતત અવિરત અલગ અલગ અલંકાર, રાગ, ભગવાનની ધુનો અને ફિલ્મી ગીતો ભગવાનને અમે અર્પણ કરીએ છીએ.એક સાધકથી શરૂ થયેલું બંસરી મ્યુઝિક સર્કલ આજે 60 વાંસળી વાદકોથી ખીલી ઉઠ્યું હતું.

આ ઉપંરાત ઉજવણી દરમિયાન જે સાધકો અને સંગીતપ્રેમીઓ વરસાદના લીધે આવી શક્યા ન હતા, તેમને માટે ઇન્ડિયા અને એબ્રોડ youtube લાઈવ આખો પ્રોગ્રામ જોઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. માનવભાઈ જણાવે છે કે બંસરી મ્યુઝિક સર્કલ આજ રીતે વાંસળીના આદ્ય ગુરુ શ્રીકૃષ્ણનું અનુષ્ઠાન કરતું આવ્યું છે અને કરતું રહેશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષથી નવાવાડજ વિસ્તારમાં બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા શાસ્ત્રીય સંગીત, ભક્તિ સંગીત અને બોલીવુડ સોંગ વાંસળીના માધ્યમથી શીખવવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...