Wednesday, January 14, 2026

જન્માષ્ટમીની અનોખી ઉજવણી : બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા સતત 12 કલાક નોન-સ્ટોપ બંસરી વાદન

spot_img
Share

અમદાવાદ : જન્માષ્ટમીના પાવન પર્વે દરેક કૃષ્ણભક્ત ખુબ ઉત્સાહથી ભગવાનનો જન્મ દિવસની ઉજવણી કરતો હતો ત્યારે નવા વાડજમાં બંસરી મ્યુઝિક સર્કલના 60 સાધકોએ સતત 12 કલાક નોન-સ્ટોપ વાંસળી વાદન કરીને કૃષ્ણભક્તિના મધુર સૂરો છેડી જન્માષ્ટમીના પાવન પર્વેની અનોખી ઉજવણી કરી હતી.બંસરી મ્યુઝિક સર્કલના 60 સાધકોએ બપોરના 12 થી રાત્રિના 12 સુધી સતત 12 કલાક બંસરી વાદન કરીને ઈશ્વરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

જન્માષ્ટમીના પાવન પર્વે દરેક કૃષ્ણભક્ત ખુબ ઉત્સાહથી ભગવાનનો જન્મ દિવસની ઉજવણી કરે છે ત્યારે, સંસારને વાંસળી આપનાર શ્રીકૃષ્ણને રિજવવા માટે નવા વાડજના બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વેની અનોખી ઉજવણી કરી હતી. બંસરી મ્યુઝિક સર્કલ ના મુખ્ય સ્થાપક અને બંસરી શીખવનાર માનવભાઈ જોશીના કહેવા મુજબ અમે અનુષ્ઠાન અનેક વર્ષોથી કરી રહ્યા છીએ.પહેલા હું એકલો જ 12 કલાક સતત વાંસળી વગાડતો પરંતુ હવે શિષ્યો ખૂબ સુંદર વાંસળી વાદન કરી રહ્યા છે અને તેમનો ભાવ પણ હોય છે કે અમે આ પાવન દિવસે ઈશ્વરને બાસુરી વાદનની ભેટ આપીએ.બપોરે 12:00 વાગે બાંસળીનો મધુર અવાજ શરૂ થાય તો રાત્રે 12 સુધી સતત અવિરત અલગ અલગ અલંકાર, રાગ, ભગવાનની ધુનો અને ફિલ્મી ગીતો ભગવાનને અમે અર્પણ કરીએ છીએ.એક સાધકથી શરૂ થયેલું બંસરી મ્યુઝિક સર્કલ આજે 60 વાંસળી વાદકોથી ખીલી ઉઠ્યું હતું.

આ ઉપંરાત ઉજવણી દરમિયાન જે સાધકો અને સંગીતપ્રેમીઓ વરસાદના લીધે આવી શક્યા ન હતા, તેમને માટે ઇન્ડિયા અને એબ્રોડ youtube લાઈવ આખો પ્રોગ્રામ જોઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. માનવભાઈ જણાવે છે કે બંસરી મ્યુઝિક સર્કલ આજ રીતે વાંસળીના આદ્ય ગુરુ શ્રીકૃષ્ણનું અનુષ્ઠાન કરતું આવ્યું છે અને કરતું રહેશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષથી નવાવાડજ વિસ્તારમાં બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા શાસ્ત્રીય સંગીત, ભક્તિ સંગીત અને બોલીવુડ સોંગ વાંસળીના માધ્યમથી શીખવવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...