Thursday, March 12, 2026

અમદાવાદીઓ ખાસ વાંચી લેજો, આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ, જાણો વૈક્લિપક માર્ગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવનાર છે જેની કામગીરી અમદાવાદ શહેરમાં ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનના કામકાજને લઈને વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાંથી પસાર થનારા બે મહત્વના બ્રિજ પરથી બુલેટ ટ્રેન પસાર થવાની છે, જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સમય પર નોટિફિકેશન જાહેર કરીને બ્રિજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરે ગિરધરનગર બ્રિજ બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સમય પર નોટિફિકેશન જાહેર કરીને બ્રિજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગિરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી 23 ઓગસ્ટ 2025થી 20 સપ્ટેમ્બર સુધી ચાલનાર હોવાથી આ બ્રિજને આવતીકાલે 23 ઓગસ્ટથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.અને ટ્રાફિકને ડાયવર્ઝન કરવામાં આવશે.

ગિરધરનગર બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે જેથી વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઇદગાહ સર્કલ થઇ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ થઇ બળીયા લીમડી ચાર રસ્તા થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઇ શકશે. તેમજ અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર પણ જઇ શકાશે.

જ્યારે શાહીબાગ ગિરધરનગર તરફથી આવતો ટ્રાફિક ગિરધરનગર સર્કલ કાલીકા માતાજીના મંદિર થઇ બળીયા લીમડી ચાર રસ્તા થઇ સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફના મુખ્ય માર્ગ તરફ જઇ શકાશે. તેમજ કાલુપુર, પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...