Sunday, January 18, 2026

અમદાવાદીઓ ખાસ વાંચી લેજો, આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ, જાણો વૈક્લિપક માર્ગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવનાર છે જેની કામગીરી અમદાવાદ શહેરમાં ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનના કામકાજને લઈને વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાંથી પસાર થનારા બે મહત્વના બ્રિજ પરથી બુલેટ ટ્રેન પસાર થવાની છે, જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સમય પર નોટિફિકેશન જાહેર કરીને બ્રિજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરે ગિરધરનગર બ્રિજ બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સમય પર નોટિફિકેશન જાહેર કરીને બ્રિજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગિરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી 23 ઓગસ્ટ 2025થી 20 સપ્ટેમ્બર સુધી ચાલનાર હોવાથી આ બ્રિજને આવતીકાલે 23 ઓગસ્ટથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.અને ટ્રાફિકને ડાયવર્ઝન કરવામાં આવશે.

ગિરધરનગર બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે જેથી વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઇદગાહ સર્કલ થઇ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ થઇ બળીયા લીમડી ચાર રસ્તા થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઇ શકશે. તેમજ અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર પણ જઇ શકાશે.

જ્યારે શાહીબાગ ગિરધરનગર તરફથી આવતો ટ્રાફિક ગિરધરનગર સર્કલ કાલીકા માતાજીના મંદિર થઇ બળીયા લીમડી ચાર રસ્તા થઇ સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફના મુખ્ય માર્ગ તરફ જઇ શકાશે. તેમજ કાલુપુર, પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...