અમદાવાદ : ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શહેરમાં શનિવારે વેપારીઓ બંધ પાળશે. કાલુપુર-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે. અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારમાં પણ દુકાનોને બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.સરદારનગર અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં પણ મોટાભાગની દુકાનો બંધ રાખવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વેપારીઓ મેદાનમાં આવ્યા છે. અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં સગીર સગીર વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં શનીવારે વેપારીઓએ બંધનું એલાન કર્યું છે. કાલુપુર અને રિલીફ રોડની તમામ માર્કેટ તેમજ પાંચકુવાની આસપાસ આવેલી તમામ માર્કેટ બંધ રાખવામાં આવશે. માધુપુરા માર્કેટ પણ રહેશે બંધ રાખવામાં આવશે.આ ઉપરાંત સફલ 1-2 કોમ્પ્લેક્સ સહિત તમામ કાપડ માર્કેટ આવતીકાલે બંધ રહેશે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સરદારનગર અને કુબેરનગરમાં સૌથી વધારે સિંધી સમાજના લોકો રહે છે ત્યારે શનિવારે 23 ઓગસ્ટના રોજ શનિવારે પણ સરદારનગર બજારને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારમાં પણ દુકાનોને બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


