Wednesday, March 11, 2026

ગોબરમાંથી ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધ્યું, નવા વાડજમાં સિદ્ધિવિનાયક મંદિર ખાતે વેચાણ કેન્દ્ર શરૂ

spot_img
Share

અમદાવાદ : ગણેશ ચતુર્થીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રકૃતિનું રક્ષણ થાય તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચયની સાથે રેડીએશનમાંથી મુક્તિ મળે તે માટે ખાસ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલી ગણપતિની ઇકો ફ્રેન્ડલીન મૂર્તિઓનું ચલણ વધી રહ્યું છે. ગોબરમાંથી બનેલી આ મૂર્તિઓ અન્ય રસાયણોમાંથી બનેલી મૂર્તિ કરતા કિંમતમાં પણ સસ્તી છે. અને ખાસ તે ઇકો ફ્રેન્ડલી હોવાને કારણે પરિવારને રેડીએશનથી મુક્ત રાખે છે આ માટે પણ ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિનું ચલણ ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ ગાયના છાણમાંથી ગણેશની મૂર્તિઓ બનાવી અને તેનો વેચાણ શરૂ કરાયું છે. રૂપિયા 300 થી લઈને રૂપિયા 600 સુધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ સાબરમતી રિવરફ્રન્ટ બગીચાઓ ફૂડ કોર્ટ અને વધુ અવાર-જવર વાળી જગ્યાએ તેમજ ઓનલાઈન flipkart અને amazon જેવી કોમર્શિયલ વેબસાઈટ દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લોકો ખરીદી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી નવા વાડજ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ખાતે પણ ગાયના છાણમાંથી ગણેશની મૂર્તિઓના વેચાણ માટે કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

ગણેશ ઉત્સવમાં POPની મૂર્તિ બનાવવામાં આવે છે અને લોકો તેમને ખરીદે છે POPની મૂર્તિ કેમિકલ યુદ્ધ થવાથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે નદીમાં તે પધરાવવાના કારણે નદી પર પ્રદેશિત થાય છે જેથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના ફાયદા અનેક છે, ગાયના છાણમાંથી મૂર્તિની સાથે લીમડો, બીલીપત્ર, જાંબુ, તુલસી જેવા વિવિધ વૃક્ષ અને ઔષધીય વનસ્પતિના બીજ પણ નાખવામાં આવ્યા છે. બીજ સાથે બનેલી પ્રતિમા નું વિસર્જન ઘરે કરવાથી બીજમાંથી ઘરે જ વિસર્જનમાંથી નવસર્જન થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...