Sunday, September 20, 2026

ગોબરમાંથી ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધ્યું, નવા વાડજમાં સિદ્ધિવિનાયક મંદિર ખાતે વેચાણ કેન્દ્ર શરૂ

spot_img
Share

અમદાવાદ : ગણેશ ચતુર્થીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રકૃતિનું રક્ષણ થાય તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચયની સાથે રેડીએશનમાંથી મુક્તિ મળે તે માટે ખાસ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલી ગણપતિની ઇકો ફ્રેન્ડલીન મૂર્તિઓનું ચલણ વધી રહ્યું છે. ગોબરમાંથી બનેલી આ મૂર્તિઓ અન્ય રસાયણોમાંથી બનેલી મૂર્તિ કરતા કિંમતમાં પણ સસ્તી છે. અને ખાસ તે ઇકો ફ્રેન્ડલી હોવાને કારણે પરિવારને રેડીએશનથી મુક્ત રાખે છે આ માટે પણ ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિનું ચલણ ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ ગાયના છાણમાંથી ગણેશની મૂર્તિઓ બનાવી અને તેનો વેચાણ શરૂ કરાયું છે. રૂપિયા 300 થી લઈને રૂપિયા 600 સુધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ સાબરમતી રિવરફ્રન્ટ બગીચાઓ ફૂડ કોર્ટ અને વધુ અવાર-જવર વાળી જગ્યાએ તેમજ ઓનલાઈન flipkart અને amazon જેવી કોમર્શિયલ વેબસાઈટ દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લોકો ખરીદી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી નવા વાડજ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ખાતે પણ ગાયના છાણમાંથી ગણેશની મૂર્તિઓના વેચાણ માટે કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

ગણેશ ઉત્સવમાં POPની મૂર્તિ બનાવવામાં આવે છે અને લોકો તેમને ખરીદે છે POPની મૂર્તિ કેમિકલ યુદ્ધ થવાથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે નદીમાં તે પધરાવવાના કારણે નદી પર પ્રદેશિત થાય છે જેથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના ફાયદા અનેક છે, ગાયના છાણમાંથી મૂર્તિની સાથે લીમડો, બીલીપત્ર, જાંબુ, તુલસી જેવા વિવિધ વૃક્ષ અને ઔષધીય વનસ્પતિના બીજ પણ નાખવામાં આવ્યા છે. બીજ સાથે બનેલી પ્રતિમા નું વિસર્જન ઘરે કરવાથી બીજમાંથી ઘરે જ વિસર્જનમાંથી નવસર્જન થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...