Friday, March 13, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના અમદાવાદના પ્રવાસે, આ ગણેશ મહોત્સવમાં લેશે ભાગ, વાંચો સમગ્ર કાર્યક્રમ

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 30 અને 31 ઓગસ્ટના રોજ 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, 30 ઓગસ્ટના રોજ શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં હાજરી આપશે. 31 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તેવિવિધ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમિત શાહના કાર્યક્રમો અંગે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 30 ઓગસ્ટના રોજ રાત્રે અમદાવાદ આવશે.તેઓ 30 ઓગસ્ટના રોજ શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં ભાગ લેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 31 ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ સેન્ટરનું લોકાર્પણ કરશે. ગોતામાં નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. ચાંદલોડિયા ખાતે વંદે માતરમ્ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. રાણીપ વોર્ડ ખાતે AMC દ્વારા તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ કરશે. ટોરેન્ટ ગ્રુપ દ્વારા પુનઃ વિકસિત સરદારબાગનું લોકાર્પણ કરશે તેમજ ઘાટલોડિયા સ્થિત સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. ડાયલ 112 હેઠળ જનરક્ષક પ્રોજેક્ટ લોકાર્પણ જાહેર કાર્યક્રમમાં જોડાશે. રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે પણ ઉપસ્થિત રહેશે. અનામત સમયમાં અમિત શાહ રાજ્યના રાજકારણમાં મહદઅંશે પ્રદેશ અધ્યક્ષની વરણી અને ભૂપેન્દ્ર પટેલ સરકાર વિસ્તૃતીકરણ સહિતના મુદ્દે રાજકીય બેઠક પણ યોજે તેવી સંભાવના છે.

30 ઑગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
સાંજે 7.45 કલાકે : શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં લેશે ભાગ
સાંજે 8.15 કલાકે: સરદાર પટેલ સેવાદળ આયોજિત 40માં વસ્ત્રાપુર ગણપતિ મહોત્સવ દર્શનાર્થે ઉપસ્થિત રહેશે

31 ઑગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
સવારે 10.15 કલાકે: ગોતામાં નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
સવારે 10.35 કલાકે: ચાંદલોડિયા ખાતે વંદે માતરમ્ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
સવારે 10.45 કલાકે: રાણીપ વોર્ડ ખાતે વૃક્ષારોપણ
સવારે 11.05 કલાકે: AMC દ્વારા તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ
સવારે 11.30 કલાકે: અમદાવાદ પૌરાણિક ભદ્રકાળી મંદિર લાલદરવાજા દર્શનાર્થે
સવારે 11.40 કલાકે: ટોરેન્ટ ગ્રુપ દ્વારા પુનઃ વિકસિત સરદારબાગ લોકાર્પણ
બપોરે 12.15 કલાકે: ઘાટલોડિયા સ્થિત સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ
સાંજે 4.45 કલાકે: ડાયલ 112 હેઠળ જનરક્ષક પ્રોજેક્ટ લોકાર્પણ જાહેર કાર્યક્રમ
રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...