અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 30 અને 31 ઓગસ્ટના રોજ 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, 30 ઓગસ્ટના રોજ શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં હાજરી આપશે. 31 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તેવિવિધ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમિત શાહના કાર્યક્રમો અંગે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 30 ઓગસ્ટના રોજ રાત્રે અમદાવાદ આવશે.તેઓ 30 ઓગસ્ટના રોજ શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં ભાગ લેશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 31 ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ સેન્ટરનું લોકાર્પણ કરશે. ગોતામાં નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. ચાંદલોડિયા ખાતે વંદે માતરમ્ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. રાણીપ વોર્ડ ખાતે AMC દ્વારા તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ કરશે. ટોરેન્ટ ગ્રુપ દ્વારા પુનઃ વિકસિત સરદારબાગનું લોકાર્પણ કરશે તેમજ ઘાટલોડિયા સ્થિત સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. ડાયલ 112 હેઠળ જનરક્ષક પ્રોજેક્ટ લોકાર્પણ જાહેર કાર્યક્રમમાં જોડાશે. રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે પણ ઉપસ્થિત રહેશે. અનામત સમયમાં અમિત શાહ રાજ્યના રાજકારણમાં મહદઅંશે પ્રદેશ અધ્યક્ષની વરણી અને ભૂપેન્દ્ર પટેલ સરકાર વિસ્તૃતીકરણ સહિતના મુદ્દે રાજકીય બેઠક પણ યોજે તેવી સંભાવના છે.
30 ઑગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
સાંજે 7.45 કલાકે : શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં લેશે ભાગ
સાંજે 8.15 કલાકે: સરદાર પટેલ સેવાદળ આયોજિત 40માં વસ્ત્રાપુર ગણપતિ મહોત્સવ દર્શનાર્થે ઉપસ્થિત રહેશે
31 ઑગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
સવારે 10.15 કલાકે: ગોતામાં નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
સવારે 10.35 કલાકે: ચાંદલોડિયા ખાતે વંદે માતરમ્ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
સવારે 10.45 કલાકે: રાણીપ વોર્ડ ખાતે વૃક્ષારોપણ
સવારે 11.05 કલાકે: AMC દ્વારા તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ
સવારે 11.30 કલાકે: અમદાવાદ પૌરાણિક ભદ્રકાળી મંદિર લાલદરવાજા દર્શનાર્થે
સવારે 11.40 કલાકે: ટોરેન્ટ ગ્રુપ દ્વારા પુનઃ વિકસિત સરદારબાગ લોકાર્પણ
બપોરે 12.15 કલાકે: ઘાટલોડિયા સ્થિત સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ
સાંજે 4.45 કલાકે: ડાયલ 112 હેઠળ જનરક્ષક પ્રોજેક્ટ લોકાર્પણ જાહેર કાર્યક્રમ
રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે


