Sunday, March 15, 2026

અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતનો બનાવ, GAS કેડરના અધિકારીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

spot_img
Share

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના અધિકારીની આત્મહત્યાની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુર સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સચિવાલયના સહકર્મીઓમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઇકાલે(3 સપ્ટેમ્બર) વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. ડ્રાઈવર દરરોજની જેમ તેમને લેવા આવ્યો હતો. વારંવાર અધિકારીને ફોન કરવા છતાં તેમને ફોન ન ઉપાડતા તે ઘરે ગયો હતો. ડ્રાઈવરે ઘરે જઈને દરવાજો ખોલતા મૃતક અધિકારી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.​​​​​​​જે બાદ તેણે વસ્ત્રાપુર પોલીસને તાત્કાલિક જાણ કરી, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. ઘટનાસ્થળે કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે.

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મનોજકુમાર પૂજારા છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા હતા. તેણે છૂટાછેડા લીધેલા હતા અને તેનો એક પુત્ર મુંબઈમાં રહે છે. પૂજારા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા હતા, અને તેમની આત્મહત્યાના સમાચારથી સચિવાલયના સાથીઓ આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે એકલતા આ ઘટનાનું એક સંભવિત કારણ હોઈ શકે છે, પરંતુ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

વસ્ત્રાપુર પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આત્મહત્યાના કારણોને સ્પષ્ટ કરવામાં મદદ કરશે. પોલીસે પૂજારાના સહકર્મીઓ અને પરિવારજનોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી ઘટનાની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. ગાંધીનગર સચિવાલયમાં પૂજારાના સાથીઓએ તેના અચાનક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે, અને આ ઘટનાએ અધિકારીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...