Monday, January 19, 2026

અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતનો બનાવ, GAS કેડરના અધિકારીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

spot_img
Share

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના અધિકારીની આત્મહત્યાની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુર સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સચિવાલયના સહકર્મીઓમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઇકાલે(3 સપ્ટેમ્બર) વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. ડ્રાઈવર દરરોજની જેમ તેમને લેવા આવ્યો હતો. વારંવાર અધિકારીને ફોન કરવા છતાં તેમને ફોન ન ઉપાડતા તે ઘરે ગયો હતો. ડ્રાઈવરે ઘરે જઈને દરવાજો ખોલતા મૃતક અધિકારી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.​​​​​​​જે બાદ તેણે વસ્ત્રાપુર પોલીસને તાત્કાલિક જાણ કરી, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. ઘટનાસ્થળે કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે.

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મનોજકુમાર પૂજારા છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા હતા. તેણે છૂટાછેડા લીધેલા હતા અને તેનો એક પુત્ર મુંબઈમાં રહે છે. પૂજારા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા હતા, અને તેમની આત્મહત્યાના સમાચારથી સચિવાલયના સાથીઓ આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે એકલતા આ ઘટનાનું એક સંભવિત કારણ હોઈ શકે છે, પરંતુ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

વસ્ત્રાપુર પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આત્મહત્યાના કારણોને સ્પષ્ટ કરવામાં મદદ કરશે. પોલીસે પૂજારાના સહકર્મીઓ અને પરિવારજનોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી ઘટનાની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. ગાંધીનગર સચિવાલયમાં પૂજારાના સાથીઓએ તેના અચાનક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે, અને આ ઘટનાએ અધિકારીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...