Saturday, March 7, 2026

વિધાર્થીઓ આનંદો ! ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓ આ ડિગ્રી ઓનલાઇન લઈ શકશે

spot_img
Share

અમદાવાદ : ટેક્નોલોજીના યુગમાં રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીએ પણ ઑનલાઇન અભ્યાસ શરૂ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે હવે ત્રણ સ્નાતક અને ત્રણ અનુસ્નાતક અભ્યાસક્રમોનો અભ્યાસ ઓનલાઈન કરી શકાશે. આ ઉપરાંત, ભારતીય જ્ઞાન પરંપરા (IKS) વિષયના ઓનલાઈન ક્લાસ વિનામૂલ્યે ચલાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીસી-માન્યતા પ્રાપ્ત છ અભ્યાસક્રમોને સંપૂર્ણ ઓનલાઈન માધ્યમથી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં BA in English, B Com General, અને BCAનો, જ્યારે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં MA in English, M Com General, અને M Sc in Mathematicsનો સમાવેશ થાય છે.

આ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અરજીઓ આજથી જ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર, 2025 છે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન જ રહેશે. વિદ્યાર્થીઓ તેમના સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ અથવા કમ્પ્યુટર જેવા કોઈપણ ઉપકરણથી આ અભ્યાસક્રમોમાં જોડાઈ શકે છે.

ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ પણ વિદ્યાર્થી દુનિયાના કોઈપણ ખૂણેથી અભ્યાસ કરી શકે અને ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા યુનિવર્સિટીમાં ગોઠવાઈ રહી હતી. આખરે ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કર્યો છે.વિદ્યાર્થીઓ આગામી સાતમી ઓક્ટોબર સુધી આવેદન કરી શકશે.

ઉપરાંત ભારતીય જ્ઞાન પરંપરાના ક્લાસ વિનામૂલ્યે ઓનલાઇન ચલાવશે. જેમાં સેમેસ્ટર એક અને ત્રણ ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવાશે. એટલે કે ગુજરાત યુનિવર્સિટી વિશ્વની પ્રથમ યુનિ જે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...