Friday, March 13, 2026

અમદાવાદમાં આયુષ્માન કાર્ડ માટે નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : ભારત સરકારના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના મસમોટા કૌભાંડનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે. વસ્ત્રાલમાં દુકાન ભાડેથી રાખીને ટોળકીના બે શખ્સો આ કૌભાંડ ચલાવતા હતા. રામોલ પોલીસે દુકાનમાં દરોડા પાડીને બે આરોપીને રૂ.1 લાખની મત્તાના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને ગુનામાં સંડોવાયેલા ફરાર એક આરોપીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મળતી માહિતી મુજબ વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્માન કાર્ડ માટે આવકના ખોટા દાખલ બનાવી આપીને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવતી હોવા અંગેની બાતમી મળતા રામોલ પીઆઇ વી.ડી.મોરી અને સ્ટાફ દ્વારા દુકાનમાં દરોડા પાડીને દુકાન માલિક ધીરજ રાજપૂત (ઉ.33 રહે, વસ્ત્રાલ)ની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી તે અને તેનો મિત્ર કિશોરભાઈ ડુંગાજી પ્રજાપતિ( રહે,ઓઢવ) સાથે મળીને ભાગીદારીમાં બે વર્ષ પહેલા દુકાન ચાલુ કરી હતી. તેઓ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરતા હતા. પરંતુ તેમની પાસે આવતા લોકો પૈકી ઘણાંની આવક રૂપિયા ચાર લાખ કરતા વધારે હોવાથી આયુષ્માન કાર્ડ કાઢવું અશક્ય બનતુ હતુ.

આથી ધીરજભાઈ અને કિશોરભાઈ આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૂઆત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે રામોલ પોલીસે ધીરજ જીતેન્દ્રભાઈ રાજપૂત (ઉ.34 રહે,અર્પણ બંગ્લોઝ રામોલ-વસ્ત્રાલ) કિશોરભાઈ ડુંગાજી પ્રજાપતિ (રહે,ઓઢવ)ની ધરપકડ કરીને ફરાર દીપક આહિર (રહે,સૂરત)ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...