Wednesday, March 11, 2026

અમદાવાદમાં કોંગ્રેસે 36 વોર્ડ પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો ક્યાં વોર્ડમાં કોણ પ્રમુખ ?

spot_img
Share

અમદાવાદ : આગામી મ્યુ કોર્પોરેશનની ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણી-2027 ને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ નિમણુંકોને મંજૂરી આપવામાં આવી છે.જેમાં 36 વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે, તેમજ 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે. આગામી સમયમાં આ માળખું સક્રિય રહેતા ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ જાહેરાત કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલની નિમણુંક બાદ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ચૂંટણી અને કોંગ્રેસને જનતાની વચ્ચે જઈને તેઓની રજૂઆત સાંભળીને સરકારમાં બેઠેલા પ્રતિનિધિ, તંત્ર અને નેતાને કાને વાત ધરે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું જાહેર કવામાં આવ્યું છે. જેમાં શહેરના 36 વોર્ડ પ્રમુખ જાહેર કરાયા છે જ્યારે અન્ય 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે.

આ નિમણૂકથી શહેરના વિકાસ માટે નવી ઊર્જા મળશે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓના ઊંડા સંબંધો અને સ્થાનિક જનસંપર્કને પણ મજબૂત બનાવવામાં ઉપયોગી બનશે. કોંગ્રેસના 36 વોર્ડ પ્રમુખોની નિમણૂકોનું આ લિસ્ટ નીચે મુજબ છે. જેમાં દરેક વોર્ડના પ્રમુખોના નામ અને વોર્ડનો નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગોતા, ચાંદખેડા, સરદારનગર,અસારવા, દરિયાપુર, બાપુનગર, સરસપુર, સરખેજ, મક્તમપુરા,બહેરામપુરા,ગોમતીપુર,ખોખરા એમ 12 વોર્ડના પ્રમુખ નિમવાના બાકી છે. આ વોર્ડ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મહત્વના છે,કારણ કે,અહીંયા કોંગ્રેસ માટે જીતની તક છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...