અમદાવાદ : આગામી મ્યુ કોર્પોરેશનની ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણી-2027 ને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ નિમણુંકોને મંજૂરી આપવામાં આવી છે.જેમાં 36 વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે, તેમજ 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે. આગામી સમયમાં આ માળખું સક્રિય રહેતા ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ જાહેરાત કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલની નિમણુંક બાદ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ચૂંટણી અને કોંગ્રેસને જનતાની વચ્ચે જઈને તેઓની રજૂઆત સાંભળીને સરકારમાં બેઠેલા પ્રતિનિધિ, તંત્ર અને નેતાને કાને વાત ધરે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું જાહેર કવામાં આવ્યું છે. જેમાં શહેરના 36 વોર્ડ પ્રમુખ જાહેર કરાયા છે જ્યારે અન્ય 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે.

આ નિમણૂકથી શહેરના વિકાસ માટે નવી ઊર્જા મળશે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓના ઊંડા સંબંધો અને સ્થાનિક જનસંપર્કને પણ મજબૂત બનાવવામાં ઉપયોગી બનશે. કોંગ્રેસના 36 વોર્ડ પ્રમુખોની નિમણૂકોનું આ લિસ્ટ નીચે મુજબ છે. જેમાં દરેક વોર્ડના પ્રમુખોના નામ અને વોર્ડનો નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગોતા, ચાંદખેડા, સરદારનગર,અસારવા, દરિયાપુર, બાપુનગર, સરસપુર, સરખેજ, મક્તમપુરા,બહેરામપુરા,ગોમતીપુર,ખોખરા એમ 12 વોર્ડના પ્રમુખ નિમવાના બાકી છે. આ વોર્ડ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મહત્વના છે,કારણ કે,અહીંયા કોંગ્રેસ માટે જીતની તક છે.


