Wednesday, March 4, 2026

અમદાવાદમાં PMના જન્મદિન નિમિત્તે આ હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી રાહત, નિઃશુલ્ક OPD-લેબ ચાર્જ ફ્રી

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે કેટલીક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી રાહતોની જાહેરાત કરવામાં આવી છે. 17મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદની SVP હોસ્પિટલમાં ઓપીડી અને લેબોરેટરીના તમામ ચાર્જ ફ્રી રહેશે. જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.

મુખ્ય કાર્યક્રમો

શા.ચી.લા મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ: અહીં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી મશીનનો ઉપયોગ કરીને એક કેમ્પનું આયોજન કરાયું છે, જેની અંદાજિત કિંમત ₹600 છે. આ ઉપરાંત, 30 થી 60 વર્ષની વયના દર્દીઓમાં હાર્ટ-એટેકની સંભાવના તપાસવા માટે સીટી કેલ્શિયમ સ્કોરિંગ તપાસ કેમ્પ પણ યોજાશે, જેની અંદાજિત કિંમત ₹500 છે. જરૂરિયાતમંદ દર્દીઓને સક્ષમ સત્તાની મંજૂરી બાદ આ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

SVP હોસ્પિટલ: આ હોસ્પિટલમાં, મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી વિભાગોમાં આવતા તમામ દર્દીઓનું કન્સલ્ટેશન અને તબીબી તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે. અહીં ખરીદાયેલા અદ્યતન મેમોગ્રાફી મશીનનું પણ લોકાર્પણ થશે અને લોકાર્પણ પછી આખો દિવસ મેમોગ્રાફીના તમામ સ્ક્રીનિંગ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.

એલ.જી. હોસ્પિટલ: આ હોસ્પિટલમાં ડાયાબિટીસ સ્ક્રીનિંગ, સર્વાઇકલ કેન્સર માટે પેપ સ્મીયર, અને સ્તન કેન્સર માટે મેમોગ્રાફીની સુવિધા એક દિવસ માટે મફત અથવા નજીવા દરે આપવામાં આવશે. સામાન્ય દિવસોમાં મેમોગ્રાફીનો ભાવ ₹600 નક્કી કરાયો છે. આ દિવસે ઓપીડી બુક (જેની કિંમત ₹10 છે) પણ વિનામૂલ્યે આપવામાં આવી શકે છે.

નગરી હોસ્પિટલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓ, કમિટીના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો અને કાઉન્સિલરોના વોર્ડમાં આવતા વૃદ્ધાશ્રમોમાં હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા આંખોની તપાસ કરી જરૂરી સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...