Friday, September 12, 2025

અમદાવાદમાં PMના જન્મદિન નિમિત્તે આ હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી રાહત, નિઃશુલ્ક OPD-લેબ ચાર્જ ફ્રી

Share

Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે કેટલીક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી રાહતોની જાહેરાત કરવામાં આવી છે. 17મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદની SVP હોસ્પિટલમાં ઓપીડી અને લેબોરેટરીના તમામ ચાર્જ ફ્રી રહેશે. જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.

મુખ્ય કાર્યક્રમો

શા.ચી.લા મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ: અહીં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી મશીનનો ઉપયોગ કરીને એક કેમ્પનું આયોજન કરાયું છે, જેની અંદાજિત કિંમત ₹600 છે. આ ઉપરાંત, 30 થી 60 વર્ષની વયના દર્દીઓમાં હાર્ટ-એટેકની સંભાવના તપાસવા માટે સીટી કેલ્શિયમ સ્કોરિંગ તપાસ કેમ્પ પણ યોજાશે, જેની અંદાજિત કિંમત ₹500 છે. જરૂરિયાતમંદ દર્દીઓને સક્ષમ સત્તાની મંજૂરી બાદ આ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

SVP હોસ્પિટલ: આ હોસ્પિટલમાં, મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી વિભાગોમાં આવતા તમામ દર્દીઓનું કન્સલ્ટેશન અને તબીબી તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે. અહીં ખરીદાયેલા અદ્યતન મેમોગ્રાફી મશીનનું પણ લોકાર્પણ થશે અને લોકાર્પણ પછી આખો દિવસ મેમોગ્રાફીના તમામ સ્ક્રીનિંગ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.

એલ.જી. હોસ્પિટલ: આ હોસ્પિટલમાં ડાયાબિટીસ સ્ક્રીનિંગ, સર્વાઇકલ કેન્સર માટે પેપ સ્મીયર, અને સ્તન કેન્સર માટે મેમોગ્રાફીની સુવિધા એક દિવસ માટે મફત અથવા નજીવા દરે આપવામાં આવશે. સામાન્ય દિવસોમાં મેમોગ્રાફીનો ભાવ ₹600 નક્કી કરાયો છે. આ દિવસે ઓપીડી બુક (જેની કિંમત ₹10 છે) પણ વિનામૂલ્યે આપવામાં આવી શકે છે.

નગરી હોસ્પિટલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓ, કમિટીના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો અને કાઉન્સિલરોના વોર્ડમાં આવતા વૃદ્ધાશ્રમોમાં હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા આંખોની તપાસ કરી જરૂરી સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...