Wednesday, January 21, 2026

અમદાવાદમાં PMના જન્મદિન નિમિત્તે આ હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી રાહત, નિઃશુલ્ક OPD-લેબ ચાર્જ ફ્રી

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે કેટલીક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી રાહતોની જાહેરાત કરવામાં આવી છે. 17મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદની SVP હોસ્પિટલમાં ઓપીડી અને લેબોરેટરીના તમામ ચાર્જ ફ્રી રહેશે. જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.

મુખ્ય કાર્યક્રમો

શા.ચી.લા મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ: અહીં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી મશીનનો ઉપયોગ કરીને એક કેમ્પનું આયોજન કરાયું છે, જેની અંદાજિત કિંમત ₹600 છે. આ ઉપરાંત, 30 થી 60 વર્ષની વયના દર્દીઓમાં હાર્ટ-એટેકની સંભાવના તપાસવા માટે સીટી કેલ્શિયમ સ્કોરિંગ તપાસ કેમ્પ પણ યોજાશે, જેની અંદાજિત કિંમત ₹500 છે. જરૂરિયાતમંદ દર્દીઓને સક્ષમ સત્તાની મંજૂરી બાદ આ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

SVP હોસ્પિટલ: આ હોસ્પિટલમાં, મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી વિભાગોમાં આવતા તમામ દર્દીઓનું કન્સલ્ટેશન અને તબીબી તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે. અહીં ખરીદાયેલા અદ્યતન મેમોગ્રાફી મશીનનું પણ લોકાર્પણ થશે અને લોકાર્પણ પછી આખો દિવસ મેમોગ્રાફીના તમામ સ્ક્રીનિંગ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.

એલ.જી. હોસ્પિટલ: આ હોસ્પિટલમાં ડાયાબિટીસ સ્ક્રીનિંગ, સર્વાઇકલ કેન્સર માટે પેપ સ્મીયર, અને સ્તન કેન્સર માટે મેમોગ્રાફીની સુવિધા એક દિવસ માટે મફત અથવા નજીવા દરે આપવામાં આવશે. સામાન્ય દિવસોમાં મેમોગ્રાફીનો ભાવ ₹600 નક્કી કરાયો છે. આ દિવસે ઓપીડી બુક (જેની કિંમત ₹10 છે) પણ વિનામૂલ્યે આપવામાં આવી શકે છે.

નગરી હોસ્પિટલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓ, કમિટીના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો અને કાઉન્સિલરોના વોર્ડમાં આવતા વૃદ્ધાશ્રમોમાં હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા આંખોની તપાસ કરી જરૂરી સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...