Saturday, July 25, 2026

સૌથી વધુ લોકસંપર્ક જાળવતા સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ..!!

spot_img
Share

(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જાેઇએ તેવી શીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે આપતા રહે છે.પરંતુ આ શીખને ગુજરાત ભાજપના કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારો હળવાશથી લેતા હોય છે તો કેટલાંક શીખને બોધપાઠ સમજીને લોકો સાથે સંપર્ક જાળવી રાખવાનો બનતો પ્રયાસ કરતા હોય છે.

આજે વાત કરીશું…અમદાવાદ શહેરમાં આવેલ કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારોની, જેમાં સૌથી મોખરે આવે છે સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ કે જેઓ સંગઠનમાં વર્ષાેથી કામ કરતા આવી રહ્યા છે, સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે, જેના કારણે તેઓ જાણે છે પ્રજા સાથે લોક સંપર્ક જાહેર જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે, ચુંટાયા પછી બીજા જ દિવસેથી કામ શરૂ કર્યુ હતું.

જાહેર જીવનની જયારે વાત થાય છે ત્યારે મોટેભાગે ચુંટાયા પછી સંસદ સભ્ય, ધારાસભ્ય હોય કે કોર્પાેરેટર પ્રજા સાથેનો સંપર્ક ઓછો કરી દેતા હોય છે. એવું લોકો માનતા હોય છે અને જાેવા પણ મળે છે. પરંતુ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના કિસ્સામાં આ માન્યતા ખોટી ઠરતી જણાય છે.ચુંટણી બાદ ધારાસભ્ય તરીકે શપથ લીધા પહેલા જ પ્રજા સાથેનો સંપર્ક વધારવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા.તેઓ માટે ભાજપમાં એવું કહેવાય છે, સાબરમતી વિધાનસભામાં હોય કે બહાર કોઈ પણ જગ્યાએ આમંત્રણ આવે તો ચોક્કસ હાજરી આપવાનું ચુકતા નથી.

આ સિવાય ધારાસભ્ય હોવાને કારણે રાજય સરકાર, મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમો, ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં ભારે વ્યસ્તતા હોવા છતાં સાબરમતી વિધાનસભામાં કોઈ પણ નાના મોટા કાર્યક્રમમાં હાજરી આપી આમંત્રણ આપનાર આયોજકનો ઉત્સાહ વધારે છે.

આ સિવાય મ્યુ કોર્પાેરેટરોની વાત કરીએ તો, નવા વાડજ વોર્ડના મ્યુ કોર્પાેરેટર વિજયભાઈ પંચાલ અને સ્ટેડીયમ વોર્ડના મ્યુ કોર્પાેરેટર રશ્મિબેન ભટ્ટ અને તેમના પાર્ટનર આરઝુ ભટ્ટ દ્વારા પ્રજાકીય સંપર્ક જાળવી રાખ્યો છે.તેઓ અન્ય કોર્પાેરેટરોની જેમ પક્ષના કાર્યક્રમોમાં કે મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમોમાં હાજરી આપે છે, સાથે સાથે વિસ્તારમાં નાના મેાટા કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપતા જાેવા મળી રહ્યાં છે.મોટાભાગના કાર્યક્રમોમાં ચાર કોર્પાેરેટરો સાથે જાેવા મળતા હોય છે.

આ સિવાય બે ટર્મના અનુભવી કેટલાંક કોર્પારેટરોએ તો અત્યારથી જ મન બનાવી દીધુ છે કે હવે ત્રીજી વાર ટિકીટ મળવાની નથી, આ સ્વીકારીને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે, કેટલાંક તો અત્યારથી ફોન બંધ કરી દીધા છે અથવા તો લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...