Thursday, March 19, 2026

સૌથી વધુ લોકસંપર્ક જાળવતા સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ..!!

spot_img
Share

(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જાેઇએ તેવી શીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે આપતા રહે છે.પરંતુ આ શીખને ગુજરાત ભાજપના કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારો હળવાશથી લેતા હોય છે તો કેટલાંક શીખને બોધપાઠ સમજીને લોકો સાથે સંપર્ક જાળવી રાખવાનો બનતો પ્રયાસ કરતા હોય છે.

આજે વાત કરીશું…અમદાવાદ શહેરમાં આવેલ કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારોની, જેમાં સૌથી મોખરે આવે છે સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ કે જેઓ સંગઠનમાં વર્ષાેથી કામ કરતા આવી રહ્યા છે, સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે, જેના કારણે તેઓ જાણે છે પ્રજા સાથે લોક સંપર્ક જાહેર જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે, ચુંટાયા પછી બીજા જ દિવસેથી કામ શરૂ કર્યુ હતું.

જાહેર જીવનની જયારે વાત થાય છે ત્યારે મોટેભાગે ચુંટાયા પછી સંસદ સભ્ય, ધારાસભ્ય હોય કે કોર્પાેરેટર પ્રજા સાથેનો સંપર્ક ઓછો કરી દેતા હોય છે. એવું લોકો માનતા હોય છે અને જાેવા પણ મળે છે. પરંતુ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના કિસ્સામાં આ માન્યતા ખોટી ઠરતી જણાય છે.ચુંટણી બાદ ધારાસભ્ય તરીકે શપથ લીધા પહેલા જ પ્રજા સાથેનો સંપર્ક વધારવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા.તેઓ માટે ભાજપમાં એવું કહેવાય છે, સાબરમતી વિધાનસભામાં હોય કે બહાર કોઈ પણ જગ્યાએ આમંત્રણ આવે તો ચોક્કસ હાજરી આપવાનું ચુકતા નથી.

આ સિવાય ધારાસભ્ય હોવાને કારણે રાજય સરકાર, મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમો, ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં ભારે વ્યસ્તતા હોવા છતાં સાબરમતી વિધાનસભામાં કોઈ પણ નાના મોટા કાર્યક્રમમાં હાજરી આપી આમંત્રણ આપનાર આયોજકનો ઉત્સાહ વધારે છે.

આ સિવાય મ્યુ કોર્પાેરેટરોની વાત કરીએ તો, નવા વાડજ વોર્ડના મ્યુ કોર્પાેરેટર વિજયભાઈ પંચાલ અને સ્ટેડીયમ વોર્ડના મ્યુ કોર્પાેરેટર રશ્મિબેન ભટ્ટ અને તેમના પાર્ટનર આરઝુ ભટ્ટ દ્વારા પ્રજાકીય સંપર્ક જાળવી રાખ્યો છે.તેઓ અન્ય કોર્પાેરેટરોની જેમ પક્ષના કાર્યક્રમોમાં કે મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમોમાં હાજરી આપે છે, સાથે સાથે વિસ્તારમાં નાના મેાટા કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપતા જાેવા મળી રહ્યાં છે.મોટાભાગના કાર્યક્રમોમાં ચાર કોર્પાેરેટરો સાથે જાેવા મળતા હોય છે.

આ સિવાય બે ટર્મના અનુભવી કેટલાંક કોર્પારેટરોએ તો અત્યારથી જ મન બનાવી દીધુ છે કે હવે ત્રીજી વાર ટિકીટ મળવાની નથી, આ સ્વીકારીને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે, કેટલાંક તો અત્યારથી ફોન બંધ કરી દીધા છે અથવા તો લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...