Wednesday, January 21, 2026

સૌથી વધુ લોકસંપર્ક જાળવતા સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ..!!

spot_img
Share

(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જાેઇએ તેવી શીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે આપતા રહે છે.પરંતુ આ શીખને ગુજરાત ભાજપના કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારો હળવાશથી લેતા હોય છે તો કેટલાંક શીખને બોધપાઠ સમજીને લોકો સાથે સંપર્ક જાળવી રાખવાનો બનતો પ્રયાસ કરતા હોય છે.

આજે વાત કરીશું…અમદાવાદ શહેરમાં આવેલ કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારોની, જેમાં સૌથી મોખરે આવે છે સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ કે જેઓ સંગઠનમાં વર્ષાેથી કામ કરતા આવી રહ્યા છે, સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે, જેના કારણે તેઓ જાણે છે પ્રજા સાથે લોક સંપર્ક જાહેર જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે, ચુંટાયા પછી બીજા જ દિવસેથી કામ શરૂ કર્યુ હતું.

જાહેર જીવનની જયારે વાત થાય છે ત્યારે મોટેભાગે ચુંટાયા પછી સંસદ સભ્ય, ધારાસભ્ય હોય કે કોર્પાેરેટર પ્રજા સાથેનો સંપર્ક ઓછો કરી દેતા હોય છે. એવું લોકો માનતા હોય છે અને જાેવા પણ મળે છે. પરંતુ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના કિસ્સામાં આ માન્યતા ખોટી ઠરતી જણાય છે.ચુંટણી બાદ ધારાસભ્ય તરીકે શપથ લીધા પહેલા જ પ્રજા સાથેનો સંપર્ક વધારવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા.તેઓ માટે ભાજપમાં એવું કહેવાય છે, સાબરમતી વિધાનસભામાં હોય કે બહાર કોઈ પણ જગ્યાએ આમંત્રણ આવે તો ચોક્કસ હાજરી આપવાનું ચુકતા નથી.

આ સિવાય ધારાસભ્ય હોવાને કારણે રાજય સરકાર, મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમો, ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં ભારે વ્યસ્તતા હોવા છતાં સાબરમતી વિધાનસભામાં કોઈ પણ નાના મોટા કાર્યક્રમમાં હાજરી આપી આમંત્રણ આપનાર આયોજકનો ઉત્સાહ વધારે છે.

આ સિવાય મ્યુ કોર્પાેરેટરોની વાત કરીએ તો, નવા વાડજ વોર્ડના મ્યુ કોર્પાેરેટર વિજયભાઈ પંચાલ અને સ્ટેડીયમ વોર્ડના મ્યુ કોર્પાેરેટર રશ્મિબેન ભટ્ટ અને તેમના પાર્ટનર આરઝુ ભટ્ટ દ્વારા પ્રજાકીય સંપર્ક જાળવી રાખ્યો છે.તેઓ અન્ય કોર્પાેરેટરોની જેમ પક્ષના કાર્યક્રમોમાં કે મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમોમાં હાજરી આપે છે, સાથે સાથે વિસ્તારમાં નાના મેાટા કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપતા જાેવા મળી રહ્યાં છે.મોટાભાગના કાર્યક્રમોમાં ચાર કોર્પાેરેટરો સાથે જાેવા મળતા હોય છે.

આ સિવાય બે ટર્મના અનુભવી કેટલાંક કોર્પારેટરોએ તો અત્યારથી જ મન બનાવી દીધુ છે કે હવે ત્રીજી વાર ટિકીટ મળવાની નથી, આ સ્વીકારીને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે, કેટલાંક તો અત્યારથી ફોન બંધ કરી દીધા છે અથવા તો લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...