Wednesday, March 4, 2026

અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હવે હેલ્મેટ નહીં પહેરો તો પોલીસ મેમો નહીં પણ હેલ્મેટ આપશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પોલીસે નવતર પહેલ કરી છે. હેલ્મેટ પહેર્યા વગરના લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરીને તેને પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા.અમદાવાદમાં પોલીસ દ્વારા લોકોને દંડ આપવાને બદલે હેલમેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર હેલમેટ નહીં પહેરનાર લોકોને પોલીસ હેલમેટ વિતરણ કરી રહી છે. લોકોમાં હેલમેટ પ્રત્યે જાગૃતિ આવે અને હેલમેટ પહેરવાના ફાયદા સમજાવવા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ પોલીસે હેલમેટ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુર બ્રિજથી અમદુપુરા થઈને મેમ્કો ચાર રસ્તા સુધી ઝોન 3 ડીસીપીની આગેવાનીમાં પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ કર્મચારીએ હેલ્મેટ પહેરી હતી. બાઈક રેલીની સાથે સ્લોગન લખેલા પ્લે કાર્ડ પણ બતાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મેમ્કો ચાર રસ્તા પાસે હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા લોકોને રોકીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100 જેટલા લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરાયું હતું. લોકોએ હેલ્મેટ નહીં પહેરવા બદલ વિવિધ કારણો બતાવ્યા હતા. જેથી તમામ લોકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ટ્રાફિકના નિયમોની અવરેનસ માટે એક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. લોકો હેલ્મેટ પહેરવા પ્રેરિત થાય તે માટે આ રેલી યોજાઈ હતી. અકસ્માતના ઘણા કેસમાં ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેર્યું નથી હોતું. લોકો હેલ્મેટ પહેરતા થાય તે માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું.

થોડા દિવસ પહેલા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજકોટમાં થયેલા વિરોધ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકોને હેલ્મેટ પહેરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારને આ કાયદા પર ફરીથી વિચારણા કરવા વિનંતી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...