Tuesday, September 16, 2025

અમદાવાદ મનપસંદ જિમખાના ફરી વિવાદમાં, ખુલ્લેઆમ જુગાર ક્લબ, જુગાર રમતા હોવાનો વિડીયો વાયરલ

Share

Share

અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું અને અનેક વખત વિવાદોમાં સપડાયેલું મનપસંદ જિમખાના ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, જીમખાનામાં ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે.દરિયાપુર પોલીસ દ્વારા ક્લબમાં થયેલ માથાકૂટ બાબતે સંચાલક ગોવિંદ પટેલની ગુનાના કામે અટક કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મનપસંદ જિમખાનાના અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જુગારીઓ જુગાર રમી રહ્યા છે. વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે તેવું જાણ થતા જ જુગારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.વીડિયો ઉતારનાર વ્યક્તિ પોતે આ જગ્યાનો માલિક હોવાનો વીડિયોમાં દાવો કરી રહ્યો છે અને સાથે-સાથે એમ પણ કહી રહ્યો છે કે હું આ જગ્યાનો માલિક છું અને મેં અહીં જુગાર રમવાની કોઈ પરમિશન આપી નથી. જોકે, વીડિયોમાં જિમખાનામાં બેફામ જુગાર રમાઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે.ક્લબમાં થયેલ માથાકૂટ બાબતે સંચાલક વિરુદ્ધ BNS કલમ 115(2), 351(3), 296, 54 મુજબ ગુનો નોંધાયો છે. ક્લબના સંચાલક ગોવિંદ પટેલની ગુનાના કામે અટક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મનપસંદ જિમખાના અગાઉ પણ અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યું છે. ભૂતકાળમાં પણ જુગાર સહિત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ મામલે આ જિમખાનાનું નામ ચર્ચામાં રહ્યું છે. હાલ આ મામલો ફરી એકવાર ગરમાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...