Wednesday, September 17, 2025

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન આ રોડ પર રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

Share

Share

અમદાવાદઃ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ અને આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ વરસાદને લઈ બંને વર્ગ ચિંતામાં છે. અમદાવાદ, સુરત અને વડોદરા વગેરે શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, તેથી સુરક્ષા અને ટ્રાફિકના અનેક સવાલો ઊભા થાય છે. અમદાવાદમાં ખાસ એસજી હાઈ-વે પર જામ રહેતો હોય છે, તેથી અહીંયા રાતના બે વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવરમાં રોક લગાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એસજી હાઈવે પર વાહન વ્યવહારની સાથે અકસ્માતોને ટાળવા માટે હાઈવે પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જે નવરાત્રિ દરમિયાન રાતના 2 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. અમદાવાદમાં ખાસ એસ જી હાઈવે પર ત્રણ કલબ, 10થી વધુ પાર્ટી પ્લોટ અને ઘણા ફાર્મહાઉસમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ઉમટે છે. અકસ્માતની ઘટના ટાળવા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ભારે વાહનોના પ્રવેશ પર 11 વાગ્યા સુધી પ્રવેશવા પ્રતિબંધ છે, પરંતુ નવરાત્રિ દરમિયાન આ પ્રતિબંધ રાત્રે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. કર્ણાવતી ક્લબથી ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચે 5.5 કિલોમીટરના વિસ્તારમાં નવરાત્રિ વખતે ભારે ટ્રાફિક સર્જાય છે.

કર્ણાવતી ક્લબથી સરખેજ જતા રસ્તા પર ફ્લાઇઓવર નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તા એક ભાગ બંધ છે. આ સાથે જ બીજી બાજુ ખોદાકામ ચાલુ છે, જેથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી ગઈ છે. ટ્રાફિક જામની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આ રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ રાખવામાં આવશે. ઉપરાંત શહેરના અન્ય માર્ગો પર પણ આવી વ્યવસ્થા કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...