Tuesday, October 14, 2025

ખેલૈયાઓ આનંદો : અમદાવાદમાં આ તારીખથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો, માત્ર સ્પેશિયલ ટિકિટ જ રહેશે માન્ય!

Share

અમદાવાદ: હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે અને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. હવે બદલાતા સમયમાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટ, ક્લબના ગરબા તરફ ઝુકાવ ધરાવે છે. જેના કારણે રાત્રીના સમયે નવરાત્રિમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ખેલૈયા ટ્રાફિકથી કંટાળીને મેટ્રોની મુસાફરી કરવાનું વધુ પસંદ કરે તે માટે મેટ્રો દ્વારા ઇન્સેન્ટિવ લેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવરાત્રી ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેનના સંચાલનનો સમય વધાર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રી મહોત્સવ હેતુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને મહત્તવનો નિર્ણય લીધો છે. મેટ્રો કોર્પોરેશન નવરાત્રી દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી 26 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રાત્રિના સમયે મેટ્રો રેલ સુવિધા પ્રાપ્ત થશે. પ્રવાસી દીઠ રૂ.50 ના દરે પેપર ટિકિટથી જ પ્રવાસ કરી શકાશે. રાત્રિના સમયે દર 30 મિનિટ મેટ્રો રેલ સેવા મળી રહેશે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે પણ મોડી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેન દોડશે.

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કોટેશ્વર રોડથી એ.પી.એમ.સી સુધી રાત્રે 10 વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રો મળશે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના રૂટ ઉપર મોટેરા સ્ટેડિયમથી રાત્રે 2 વાગ્યા સુધી દર કલાકે, જ્યારે સેક્ટર-1થી રાત્રે 10:00 વાગ્યાથી એક વાગ્યા સુધી દર કલાકે ટ્રેન મળશે.

આ રુટ પર મોડી રાત સુધી મળશે મેટ્રો ટ્રેન
વસ્ત્રાલ થી થલતેજ રુટ પર રાત્રિના10 થી 2 સુધી મેટ્રો ટ્રેન મળશે.
કોટેશ્વર થી APMC સુધી રાત્રિના 10 થી 2 સુધી મેટ્રો ટ્રેન મળશે.
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી રાત્રે.10.11.12.1 સુધી મેટ્રો ટ્રેન મળશે.
ગાંધીનગર સેક્ટર 1 થી મોટેરા સુધી રાત્રે 1011.12.1 સુધી મેટ્રો ટ્રેન મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...