Tuesday, January 13, 2026

ખેલૈયાઓ આનંદો : અમદાવાદમાં આ તારીખથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો, માત્ર સ્પેશિયલ ટિકિટ જ રહેશે માન્ય!

spot_img
Share

અમદાવાદ: હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે અને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. હવે બદલાતા સમયમાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટ, ક્લબના ગરબા તરફ ઝુકાવ ધરાવે છે. જેના કારણે રાત્રીના સમયે નવરાત્રિમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ખેલૈયા ટ્રાફિકથી કંટાળીને મેટ્રોની મુસાફરી કરવાનું વધુ પસંદ કરે તે માટે મેટ્રો દ્વારા ઇન્સેન્ટિવ લેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવરાત્રી ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેનના સંચાલનનો સમય વધાર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રી મહોત્સવ હેતુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને મહત્તવનો નિર્ણય લીધો છે. મેટ્રો કોર્પોરેશન નવરાત્રી દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી 26 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રાત્રિના સમયે મેટ્રો રેલ સુવિધા પ્રાપ્ત થશે. પ્રવાસી દીઠ રૂ.50 ના દરે પેપર ટિકિટથી જ પ્રવાસ કરી શકાશે. રાત્રિના સમયે દર 30 મિનિટ મેટ્રો રેલ સેવા મળી રહેશે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે પણ મોડી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેન દોડશે.

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કોટેશ્વર રોડથી એ.પી.એમ.સી સુધી રાત્રે 10 વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રો મળશે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના રૂટ ઉપર મોટેરા સ્ટેડિયમથી રાત્રે 2 વાગ્યા સુધી દર કલાકે, જ્યારે સેક્ટર-1થી રાત્રે 10:00 વાગ્યાથી એક વાગ્યા સુધી દર કલાકે ટ્રેન મળશે.

આ રુટ પર મોડી રાત સુધી મળશે મેટ્રો ટ્રેન
વસ્ત્રાલ થી થલતેજ રુટ પર રાત્રિના10 થી 2 સુધી મેટ્રો ટ્રેન મળશે.
કોટેશ્વર થી APMC સુધી રાત્રિના 10 થી 2 સુધી મેટ્રો ટ્રેન મળશે.
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી રાત્રે.10.11.12.1 સુધી મેટ્રો ટ્રેન મળશે.
ગાંધીનગર સેક્ટર 1 થી મોટેરા સુધી રાત્રે 1011.12.1 સુધી મેટ્રો ટ્રેન મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....