Wednesday, March 4, 2026

ખેલૈયાઓ આનંદો : અમદાવાદમાં આ તારીખથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો, માત્ર સ્પેશિયલ ટિકિટ જ રહેશે માન્ય!

spot_img
Share

અમદાવાદ: હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે અને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. હવે બદલાતા સમયમાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટ, ક્લબના ગરબા તરફ ઝુકાવ ધરાવે છે. જેના કારણે રાત્રીના સમયે નવરાત્રિમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ખેલૈયા ટ્રાફિકથી કંટાળીને મેટ્રોની મુસાફરી કરવાનું વધુ પસંદ કરે તે માટે મેટ્રો દ્વારા ઇન્સેન્ટિવ લેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવરાત્રી ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેનના સંચાલનનો સમય વધાર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રી મહોત્સવ હેતુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને મહત્તવનો નિર્ણય લીધો છે. મેટ્રો કોર્પોરેશન નવરાત્રી દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી 26 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રાત્રિના સમયે મેટ્રો રેલ સુવિધા પ્રાપ્ત થશે. પ્રવાસી દીઠ રૂ.50 ના દરે પેપર ટિકિટથી જ પ્રવાસ કરી શકાશે. રાત્રિના સમયે દર 30 મિનિટ મેટ્રો રેલ સેવા મળી રહેશે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે પણ મોડી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેન દોડશે.

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કોટેશ્વર રોડથી એ.પી.એમ.સી સુધી રાત્રે 10 વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રો મળશે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના રૂટ ઉપર મોટેરા સ્ટેડિયમથી રાત્રે 2 વાગ્યા સુધી દર કલાકે, જ્યારે સેક્ટર-1થી રાત્રે 10:00 વાગ્યાથી એક વાગ્યા સુધી દર કલાકે ટ્રેન મળશે.

આ રુટ પર મોડી રાત સુધી મળશે મેટ્રો ટ્રેન
વસ્ત્રાલ થી થલતેજ રુટ પર રાત્રિના10 થી 2 સુધી મેટ્રો ટ્રેન મળશે.
કોટેશ્વર થી APMC સુધી રાત્રિના 10 થી 2 સુધી મેટ્રો ટ્રેન મળશે.
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી રાત્રે.10.11.12.1 સુધી મેટ્રો ટ્રેન મળશે.
ગાંધીનગર સેક્ટર 1 થી મોટેરા સુધી રાત્રે 1011.12.1 સુધી મેટ્રો ટ્રેન મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...