Tuesday, March 17, 2026

અમદાવાદમાં લૂંટ વિથ હત્યા કેસના આરોપી સાઇકો કિલરનું એનકાઉન્ટર, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે ગોળી મારી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લૂંટ વિથ હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. રિકસ્ટ્રક્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગતા વિપુલ પરમારનું મોત થયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે (24 સપ્ટેમ્બર) તેને રિકસ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપી વિપુલ ભાગવા લાગ્યો હતો, આ દરમિયાન પોલીસે તેને રોકવા ફાયરિંગ કર્યું હતું. જે એન્કાઉન્ટરમાં આરોપી વિપુલનું મોત થયું છે.

પ્રાપ્ત વિગત અનુસાર લૂંટ વિથ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આમ જ્યાં તેણે મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મીને ઇજા થઈ હતી. આરોપીએ પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું છે.

આ ચકચારી લૂંટ વિથ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને 23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી હતી. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો.

અમદાવાદના અડાલજ વિસ્તારની હદમાં આવતા અમીયાપુર નજીક કેનાલ પાસે યુવક અને યુવતી સાથે આ બનાવ બન્યો હતો. સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ મનવાણીનો જન્મદિવસ હોવાથી તે અને એક યુવતી કેનાલ પાસે ગયા હતા. વૈભવ અને યુવતી બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લુખ્ખા તત્વોએ ત્યાં આવીને લૂંટ કરી હતી. લુખ્ખા તત્વોએ વૈભવ મનવાણીની છરી મારીને હત્યા કરી હતી. તો યુવતી પર પણ હુમલો કર્યો હતો. જેથી યુવતી કારમાંથી ઈજાગ્રસ્ત હાલમાં મળી આવી હતી, ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાઈ હતી, જેમાં તેની હાલત ગંભીર હતી. યુવતી મોટેરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...