Sunday, March 15, 2026

અમદાવાદ-ગાંધીનગરના મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર, આ તારીખથી શરૂ થશે આ નવા મેટ્રો સ્ટેશનો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GMRC દ્વારા ફેઝ-2ના બે મહત્ત્વપૂર્ણ મેટ્રો સ્ટેશન કોબા ગામ અને જૂના કોબાનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો બે દિવસ બાદ એટલે કે 28મી તારીખથી કાર્યરત થશે. જુના કોબા મેટ્રો સ્ટેશન અને કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી મેટ્રો સ્ટેશનો તરફ મેટ્રોની શરૂઆત થશે. આ સેવા શરૂ થવાથી હજારો લોકોને ફાયદો થશે.

GMRC દ્વારા શેર કરેલ શેડ્યૂલ મુજબ, કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન સવારે 8.32 કલાકે જશે. આ સાથે કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 8.04 કલાકે જશે. કોબાથી ગિફ્ટ સિટી તરફ 7.40 કલાકે જશે. ટિકિટ બારી સવારે 7.40 કલાકે શરૂ થશે.છેલ્લી ટ્રેનના સમયની વાત કરીએ તો, કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન 19.45 કલાકે જશે. આ સાથે કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 20.07 કલાકે જશે. કોબાથી ગિફ્ટ સિટી તરફ 18.10 કલાકે જશે. ટિકિટ વિન્ડો બંધ થવાનો સમય 20.02 કલાક છે.

જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન સવારે 8.29 કલાકે જશે. આ સાથે જૂના કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 8.06 કલાકે જશે. જૂના કોબાથી ગિફ્ટ સિટી તરફ 7.38 કલાકે જશે. ટિકિટ બારી સવારે 7.28 કલાકે શરૂ થશે.

છેલ્લી ટ્રેનના સમયની વાત કરીએ તો, જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન 19.43 કલાકે જશે. આ સાથે જૂના કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 20.10 કલાકે જશે. જૂના કોબાથી ગિફ્ટ સિટી તરફ 18.07 કલાકે જશે. ટિકિટ વિન્ડો બંધ થવાનો સમય 20.05 કલાક છે.

આ સાથે એવી પણ માહિતી છે કે, ડિસેમ્બરના અંત સુધીમાં મેટ્રો ટ્રેન એપીએમસીથી સીધી અક્ષરધામ અને મહાત્મા મંદિર સુધી દોડતી થઈ શકે છે. હાલ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના પાંચ કિલોમીટરના રૂટ પર આવતા અક્ષરધામ અને જૂના સચિવાલય જેવા સ્ટેશનોનું કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂર્ણ થયા બાદ CMRS દ્વારા નિરીક્ષણ કરાશે અને ક્લીયરન્સ મળતા જ આ રૂટ શરૂ થઈ જશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...