Tuesday, October 14, 2025

અમદાવાદની મહિલા કોન્સ્ટેબલના હત્યા કેસમાં આરોપી પરણિત પ્રેમી ઝડપાયો, નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો હતો

Share

અમદાવાદ : ગાંધીનગરમાં સેક્ટર 24માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આજે આ કેસમાં અનેક મોટા ખુલાસા થયા છે. જી હા.. આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઇ પારધી નામના આરોપીની ધરપકડ કરી છે.મહિલા કોન્સ્ટેબલના મોતનું કારણ કોલેજ સમયનો પ્રેમ બન્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ અમરેલીનો રહેવાસી અને સીરામીક ઉદ્યોગમાં મેનેજર તરીકે ફરજ બજાવતોમોહન નાગજીભાઇ પારધી છે. આજ વ્યક્તિએ ગાંધીનગર સેક્ટર 24 માં રહેતી અને અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી રીંકલ વણઝારાનો હથિયારો છે. ગઈકાલે રીંકલની હત્યા થયા બાદ શંકાસ્પદ હાલતમાં તેનું મૃત્યુ તેના જ નિવાસ્થાનથી મળ્યો હતો. આ અંગે ગાંધીનગર પોલીસે તપાસ કરતા મોતનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું.

ગાંધીનગર પોલીસના દાવા પ્રમાણે ગઈકાલે રીંકલની હત્યા તેના જ કોલેજકાળના પ્રેમી મોહન પારગી એ કરી. મોહન પારગી અને રીંકલ મૂળ બંને ભાવનગરના ગારીયાધાર ના વતની છે. કોલેજમાં બંને સાથે ભણતા હતા ત્યારથી પ્રેમ થયો. જોકે 2015માં મોહન પારગીના અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા. જોકે રીંકલ સાથેનો મોહનનો પ્રેમ ચાલુ રહ્યો. આ પ્રેમમાં રીંકલ મોહનને તેની પત્ની છોડીને પોતાની સાથે લગ્ન કરવા સતત દબાણ કરતી હતી. મોહન રીંકલ સાથે લગ્ન કરવા ન માંગતો હતો. એટલે જ આ ખુની ખેલ ખેલાયો. મોહન રીન્કલને મળવા આવ્યો એ દરમિયાન લગ્ન માટેનું દબાણ રિંકલે કર્યું એટલે મોહને ગળુ દબાવી રીંકલની ઘાતકી હત્યા કરી.

પોલીસે રીંકલનો ફોન અને ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તેઓને આ મોહન નામના વ્યક્તિ ઉપર શંકા ગઈ હતી. તેની તપાસ કરતાં મોહનને અમરેલીથી પકડી પાડવામાં આવ્યો. મોહને પોતાના ગુનાની કબુલાત પણ કરી લીધી હોવાનો પોલીસનો દાવો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...