Tuesday, February 10, 2026

અમદાવાદની મહિલા કોન્સ્ટેબલના હત્યા કેસમાં આરોપી પરણિત પ્રેમી ઝડપાયો, નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો હતો

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગરમાં સેક્ટર 24માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આજે આ કેસમાં અનેક મોટા ખુલાસા થયા છે. જી હા.. આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઇ પારધી નામના આરોપીની ધરપકડ કરી છે.મહિલા કોન્સ્ટેબલના મોતનું કારણ કોલેજ સમયનો પ્રેમ બન્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ અમરેલીનો રહેવાસી અને સીરામીક ઉદ્યોગમાં મેનેજર તરીકે ફરજ બજાવતોમોહન નાગજીભાઇ પારધી છે. આજ વ્યક્તિએ ગાંધીનગર સેક્ટર 24 માં રહેતી અને અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી રીંકલ વણઝારાનો હથિયારો છે. ગઈકાલે રીંકલની હત્યા થયા બાદ શંકાસ્પદ હાલતમાં તેનું મૃત્યુ તેના જ નિવાસ્થાનથી મળ્યો હતો. આ અંગે ગાંધીનગર પોલીસે તપાસ કરતા મોતનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું.

ગાંધીનગર પોલીસના દાવા પ્રમાણે ગઈકાલે રીંકલની હત્યા તેના જ કોલેજકાળના પ્રેમી મોહન પારગી એ કરી. મોહન પારગી અને રીંકલ મૂળ બંને ભાવનગરના ગારીયાધાર ના વતની છે. કોલેજમાં બંને સાથે ભણતા હતા ત્યારથી પ્રેમ થયો. જોકે 2015માં મોહન પારગીના અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા. જોકે રીંકલ સાથેનો મોહનનો પ્રેમ ચાલુ રહ્યો. આ પ્રેમમાં રીંકલ મોહનને તેની પત્ની છોડીને પોતાની સાથે લગ્ન કરવા સતત દબાણ કરતી હતી. મોહન રીંકલ સાથે લગ્ન કરવા ન માંગતો હતો. એટલે જ આ ખુની ખેલ ખેલાયો. મોહન રીન્કલને મળવા આવ્યો એ દરમિયાન લગ્ન માટેનું દબાણ રિંકલે કર્યું એટલે મોહને ગળુ દબાવી રીંકલની ઘાતકી હત્યા કરી.

પોલીસે રીંકલનો ફોન અને ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તેઓને આ મોહન નામના વ્યક્તિ ઉપર શંકા ગઈ હતી. તેની તપાસ કરતાં મોહનને અમરેલીથી પકડી પાડવામાં આવ્યો. મોહને પોતાના ગુનાની કબુલાત પણ કરી લીધી હોવાનો પોલીસનો દાવો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...